Western Times News

Gujarati News

પુલવામા ખાતે અથડામણમાં ત્રણ આતંકી ઠાર, એક જવાન શહીદ

પુલવામા: પુલવામાના જાદુરા વિસ્તારમાં શુક્રવારે મોડી રાતથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા અત્યાર સુધીમાં ૩ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટરમાં એક યુવકનું પણ મોત નીપજ્યું હતું. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે પોલીસ અને સુરક્ષા દળો આ કાર્યવાહી હાથ ધરી છે. કાશ્મીર ઝોનની પોલીસે આતંકવાદીઓના મોતની પુષ્ટિ કરી છે.

અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું હતું કે પુલવામાના જદુરા વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. પોલીસ અને સુરક્ષા દળ કાર્યરત છે. જોકે, આ મામલે હજી સંપૂર્ણ માહિતી મળી શકી નથી.

અગાઉ, કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક, વિજય કુમારના જણાવ્યા મુજબ, શોપિયન જિલ્લાના કિલોરા વિસ્તારમાં શુક્રવારે એક એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે એકને પકડવામાં સફળતા મળી હતી. જમ્મુ-કાશ્મીરના પુલવામાના જદુરા વિસ્તારમાં ભારતીય સુરક્ષાદળો અને આતંકવાદઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયાના સમાચાર છે.

કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા પ્રમાણે રાત્રે આશરે એક વાગ્યા પોલીસ અને સુરક્ષાદળોએ આતંકીઓને પકડવા માટે અભિયાન શરૂ કર્યું હતું. અથડામણ દરમિયાન ગંભીર રીતે ઘાયલ એક જવાન શહીદ થયો છે. ઘાયલ થયા બાદ જવાનને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે, ભારતીય સુરક્ષાદળોને બાતમી મળી હતી કે અમુક આતંકીઓ પુલવામાના જદુરા વિસ્તારમાં છૂપાયેલા છે. આ આતંકીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં છે. બાતમીના આધારે સુરક્ષાદળોએ સ્થાનિક પોલીસને સાથે રાખીને આખા વિસ્તારની ઘેરબંધી કરી લીધી હતી. આ દરમિયાન એક ઘરમાં આતંકી ગતિવિધિ જોવા મળી હતી.

જે બાદમાં સુરક્ષાદળોએ આતંકીઓને હથિયાર ફેંકીને બહાર આવવાનું કહ્યું હતું. જે બાદમાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં ભારતીય સુરક્ષાદળોએ પણ ફાયરિંગ કર્યું હતું. અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે ત્રણ આતંકીને ઠાર કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છૂપાયા હોવાની સંભાવના હોવાથી સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.શુક્રવારે શોપિયાંમાં ચાર આતંકીને ઠાર કરાયા હતા. કાશ્મીર પોલીસના વિજય કુમારના જણાવ્યા પ્રમાણે શુક્રવારે શોપિયાંના કિલૌર વિસ્તારમાં થયેલી અથડામણમાં ચાર આતંકી માર્યા ગયા છે. આ દરમિયાન એક આતંકીને જીવતી પકડી લેવામાં આવ્યો છે. એવા પણ સમાચાર મળ્યા છે કે માર્યા ગયેલા આતંકીઓમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો પૂર્વ જવાન અને અલ-બદ્ર સંગઠનનો જિલ્લા કમાન્ડર પણ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.