Western Times News

Gujarati News

આસોપાલવ શો રૂમના નવ કર્મચારી કોરોના પોઝિટિવ

અમદાવાદ: કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે કોરોનાનું સંક્રમણ ઓછું કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કોવિડ-૧૯ ટેસ્ટિંગ માટે એક ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જેમાં નેહરુબ્રિજ અને શિવરંજની પાસે આવેલા અને સાડી-ડ્રેસ માટે જાણીતા શો રૂમ આસોપાલવના ઓછામાં ઓછા નવ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓએ કહ્યું કે, વાયરસને ફેલાતો રોકવા માટેની ડ્રાઈવના ભાગરૂપે તેમણે તેવી જગ્યાના સ્ટાફનું ચેકિંગ કર્યું હતું, જ્યાં લોકો સૌથી વધારે ભેગા થાય છે.

આ ચેકિંગ દરમિયાન આસોપાલવના બે શો રૂમના નવ કર્મચારીઓને કોવિડ-૧૯ હોવાનું સામે આવ્યું છે. એએમસીએ કહ્યું કે, આ કર્મચારીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે

અને તેમને કોવિડ કેર સેન્ટર્સ તેમજ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે, મુલાકાતીઓ સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે શો રૂમ અને મોલમાં ચેકિંગ યથાવત્‌ રખાશે.

અધિકારીઓે કહ્યું કે, ઘણા મોટા શો રૂમે ઓફર્સની સાથે મોટા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે, જેના કારણે ત્યાં લોકોનો ધસારો વધારે રહે છે. અધિકારીઓએ કહ્યું કે, આ કર્મચારીઓ ગ્રાહકોના કારણે સંક્રમિત થયા હોવાની પણ શક્યતા છે. શો રૂમના માલિક કામ પર આવતા પહેલા તેમના સ્ટાફના સભ્યોનું સ્ક્રીનિંગ કરે છે કે નહીં તેના પર આ સવાલ ઉભા કરે છે, તેમ અધિકારીઓએ કહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.