Western Times News

Gujarati News

સોનૂ સુદ કાશીના ૩૫૦ નાવિકોની મદદ કરશે

મુંબઈ: વારાણસીમાં લોકડાઉન અને પૂરને કારણે ૩૫૦ નાવિકો ભુખમારાની કગાર પર આવી ગયા હતાં. જેમની વ્હારે સોનૂ સૂદ આવ્યો છે. ટિ્‌વટર પર જ્યારે વારાણસીનાં સામાજિક કાર્યકર્તા દિવ્યાંશુએ મદદની ગુહાર લગાવી તો સોનૂ સૂદે તેમને મદદનો વિશ્વાસ અપાવ્યો છે. અભિનેતા સોનૂ સૂદે ૩૫૦ નાવિકો અને તમનાં પરિવાર માટે કરિયાણાનો ઇન્તેજામ કરીને વારાણસી મોકલાવશે.

આ જાણકારી તેણે પોતે ટિ્‌વટર પર શેર કરી છે. સોનૂ સૂદે લખ્યું છે કે, આજ બાદ આ ૩૫૦ પરિવારનાં કોઇપણ સભ્ય ભુખ્યા નહીં સુવે. દિવ્યાંશુએ જણાવ્યું હતું કે, સોનૂની ટીમ તરફથી તેમને ફોન પણ આવી ગયો હતો જેમાં નાવિકોનાં પરિવારની લિસ્ટ માંગવામાં આવી છે. દિવ્યાંશુએ જણાવ્યું કે, અમારા લોકો દ્વારા આ નાવિકોને થોડા દિવસ પહેલાં કરિયાણું આપવામાં આવ્યું હતું. પણ કામ કાજ સંપૂર્ણ બંધ હોવાને કારણે નાવિકોને પૈસાની ખુબ તંગી સર્જાઇ ગઇ છે. આ તમામ તસવીરો સોનૂ સૂદ દ્વારા તેનાં ટિ્‌વટર પેજ પર શેર કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.