Western Times News

Gujarati News

કસૌટી જિંદગી કી-૨ નવેમ્બર મહિનામાં બંધ થઈ શકે છે

મુંબઈ: એકતા કપૂરના શો ‘કસૌટી જિંદગી કી ૨’ને દર્શકો તરફથી જેટલો પ્રેમ મળ્યો હતો, એટલો જ પ્રેમ તેની બીજી સીઝનને પણ મળી રહ્યો છે. શોમાં પ્રેરણાનો રોલ એરિકા અને અનુરાગ બાસુનો રોલ પાર્થ સમથાન નિભાવી રહ્યો છે. આ બંનેની જોડી અને કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. જો કે, આ સીરિયલ પર સંકટના વાદળ ઘેરાયા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે એકબાદ એક કલાકાર શો છોડીને જઈ રહ્યા છે. પાર્થ સમથાન પણ શો છોડી રહ્યો હોવાના સમાચાર છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યા છે. હવે આ સીરિયલના ફેન્સને વધુ એક ઝટકો લાગી શકે છે.

સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે, ‘કસૌટી જિંદગી કી ૨ની લોકપ્રિયતા અને ટીઆરપી ઘટી રહ્યા છે. જેના કારણે તેના મેકર્સ ખુશ નથી. આ સિવાય હાલ પાર્થ સમથાનને રિપ્લેસ કરી શકે તેવો કોઈ એક્ટર મળી રહ્યો નથી.

તેથી મેકર્સે નવેમ્બર મહિનામાં શો બંધ કરી દેવાનો ર્નિણય લીધો છે’. ઉલ્લેખનીય છે કે, સીરિયલના સૂત્રોએ અગાઉ પણ જણાવ્યું હતું કે, એકતા કપૂર પાર્થ સમથાનને મનાવી રહી છે અને જો તે નહીં માને તો તેની જગ્યાએ અન્ય કોઈને રિપ્લેસ કરાશે. જો અનુરાગ બાસુનો રોલ કરી શકે તેવો કોઈ એક્ટર નહીં મળે તો શો બંધ કરી દેવાશે.

નવેમ્બર મહિનામાં શો બંધ થઈ જશે કે કેમ તે અંગે એકતા કપૂર કે પ્રોડક્શન હાઉસે કોઈ જાહેરાત કરી નથી. પાર્થ સમથાનની વાત કરીએ તો, રિપોર્ટ્‌સ પ્રમાણે તે શોમાં ચાલી રહેલા પ્રેરણા અને મિ.બજાજના ટ્રેકથી ખુશ નથી તેમજ તે હવે ડિજિટલ પ્લેટફોર્મ અને ફિલ્મોમાં કામ કરવા માગે છે, તેથી તે શો છોડી રહ્યો છે. તો બીજી તરફ એરિકા પણ શો છોડી રહી હોવાના ન્યૂઝ હતા. જો કે, તેણે આ વાતને અફવા ગણાવીને ફગાવી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.