Western Times News

Gujarati News

નર્મદા નદીમાં પૂરની સ્થિતિ : કાંઠાના સ્મશાનો પાણીમાં ગરકાવ

સ્મશાનો પાણીમાં ડૂબતા અંતિમ સંસ્કાર માટે માત્ર એક વિકલ્પ શાંતિવન સ્મશાન : અંતિમ સંસ્કાર માટે સ્વજનો મૃતદેહ સાથે વેટીંગમાં

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, સરદાર સરોવર ડેમ માંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરની સ્થિતિ નું નિર્માણ થયું હતું.જેના પગલે ગોલ્ડન બ્રિજ ખાતે જળ સપાટી ૩૫ ફૂટે પહોંચતા કાંઠાના ઘાટો પાણીમાં ગરકાવ થયા છે.જેના પગલે ભરૂચની પૂર્વ પટ્ટીના ગામોના સ્મશાનો સહીત અંકલેશ્વર અને ઝઘડિયાના સ્મશાનો પણ પાણીમાં ગરકાવ થતા મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે પ્રશ્ન ઉભો થયો છે.જેના પગલે ભરૂચના દાંડિયા બજાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલ શાંતિવન સ્મશાન નદીના ઘાટ થી દૂર હોવાના કારણે અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે.જ્યાં પણ અંતિમ સંસ્કાર માટે લોકો વેટીંગ કરી રહ્યા છે.

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થતા સરદાર સરોવર ડેમ માંથી સતત પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો હતો.જેના પગલે નર્મદા નદી માં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું.જેથી ગોલ્ડનબ્રિજ ખાતે ૩૫ ફૂટ ની જળ સપાટી જોવા મળી હતી.નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવતા પૂરના પાણી ખેતરો તથા નિચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે.તો ભરૂચના પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારોના નર્મદા નદી કાંઠા ઉપર આવેલા સ્મશાનો તથા અંકલેશ્વર,ઝઘડિયા સહીત ભરૂચના સ્મશાનો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

જેના પગલે ભરૂચમાં કુદરતી કે આકસ્મિક મૃત્યુ પામતા મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે પેચીદો પ્રશ્ન ઉભો થયો છે.ત્યારે ભરૂચના દાંડિયા બજાર દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલ શાંતિવન સ્મશાન નર્મદા નદીના કાંઠા થી દૂર અને ઊંચાઈએ આવેલું હોવાના કારણે પૂરના પાણી સ્મશાનમાં પ્રવેશતા નથી જેના કારણે મૃતદેહોની અંતિમ સંસ્કારની પ્રક્રિયા ચાલી રહી છે અને તેમાં પણ અંતિમ સંસ્કાર કરવા માટે સ્વજનોએ મૃતદેહ સાથે વેટીંગમાં બેસવાનો વાળો આવ્યો છે.ત્યારે જીવતા જીવ કતારમાં ઉભું રહેવું પડે છે અને મૃત્યુ બાદ પણ હવે કતાર માં રહેવાનો વાળો આવ્યો છે.

તો બીજી તરફ ભરૂચના દાંડિયા બજાર દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલ રોટરી સંચાલિત શાંતિવન સ્મશાન રહેણાંક વિસ્તારમાં હોવાના કારણે કોરોના પોઝિટિવ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે વિવાદ સર્જાયો હતો.જેના પગલે તંત્ર દ્વારા ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે કોવિદ ૧૯ સ્મશાન ઉભું કરાયુ હતું.પંરતુ તે પણ નર્મદા નદી માં પૂરની સ્થિતિનું નિર્માણ થતા આ સ્મશાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.

જેના કારણે વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું છે.ત્યારે ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓ રોજ મોતને ભેટી રહ્યા છે.જેઓના અંતિમ સંસ્કાર ખુલ્લામાં કરવામાં આવિ રહ્યા છે.તો મોડી રાત્રીએ અંધારપટ વચ્ચે પણ કોરોના પોઝિટિવ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.ત્યારે તંત્ર કે રોટરી ક્લબ દ્વારા કોરોના પોઝીટીવ કે શંકાસ્પદ મૃતદેહો રોટરી સંચાલિત શાંતિવન સ્મશાન ખાતે ગેસની સગડી માં તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરી મોતનો મલાજો જાળવે તે જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.