Western Times News

Gujarati News

કરણ પટેલ ‘કસૌટી જીંદગી કી શ્રેણી’ છોડે તેવી શક્યતા

મુંબઈ: ટીવી સીરિયલ ‘કસૌટી જિંદગી કી ૨’માં કંઈ પણ ઠીક ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું નથી. હજુ તો હાલ જ એકતા કપૂર પાર્થ સમથાનને શો ન છોડવા માટે મનાવી ચૂકી છે. ત્યાં વધુ એક એક્ટરે સીરિયલને બાય-બાય કહેવાનું મન બનાવી લીધું છે. કસૌટીમાં મિ.બજાજનો રોલ કરનાર કરણ પટેલ શો છોડી રહ્યો હોવાનું કેટલાક રિપોર્ટ્‌સમાં કહેવાઈ રહ્યું છે. મિ.બજાજના રોલમાં કરણ પટેલની એન્ટ્રી લોકડાઉન બાદના ફ્રેશ એપિસોડમાં થઈ હતી.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

શો જે રીતે જઈ રહ્યો છે, તેનાથી તે ખુશ નથી તેમ કહેવાઈ રહ્યું છે. જો કે, સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે, જ્યારે કરણને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે ખબરોને અફવા ગણાવીને ફગાવી દીધી હતી. એક્ટરની સ્પોકપર્સને જણાવ્યું કે, એક્ટર શો છોડી રહ્યો નથી અને હાલ તે આ શોમાં કામ કરીને ખુશ છે. કરણ પટેલ શો છોડી રહ્યો હોવાના ન્યૂઝ ત્યારે સામે આવ્યા જ્યારે તેણે ૧૦ દિવસ સુધી સેટ પર રિપોર્ટ કર્યું નહીં.

તેથી તે શો છોડી રહ્યો હોવાની અફવા ઉડી. કેટલાક રિપોર્ટ્‌સમાં તેમ પણ કહેવામાં આવ્યું કે, હાલ શોમાં અનુરાગ બાસુ, પ્રેરણા અને તેની દીકરી પર વધારે ફોકસ કરવામાં કરવામાં આવી રહ્યું છે. જેનાથી એક્ટર ખુશ છે. પરંતુ કરણ પટેલની સ્પોકપર્સને આ વાતને નકારી દેતાં તે શો છોડી રહ્યો હોવાની વાત પર પૂર્ણ વિરામ મૂકાયું છે. આ વચ્ચે શો ઓફ-એર થઈ રહ્યો હોવાનું પણ કેટલાક સૂત્રોનું કહેવું છે. સૂત્રોના કહેવા પ્રમાણે, શોની સતત ઘટી રહેલી લોકપ્રિયતા અને ટીઆરપીથી મેકર્સ ખુશ નથી અને તેથી નવેમ્બરમાં શો પર પડદો પડી જશે. જો કે, એકતા કપૂરે આ અંગે હજુ કોઈ જાહેરાત કરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.