પ્રાંતિજમાં નિવૃત પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા રાહત ફંડમાં ૨૧૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવ્યો
મુખ્યમંત્રી રાહત ફંડમાં ૨૧૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવ્યો- પ્રાંતિજ-તલોદ ના પ્રાંન્ત અધિકારી સોનલ બા પઢેરીયા ને ચેક અર્પણ કર્યો.
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા મુખ્ય મંત્રી રાહતફડ માં રૂપિયા ૨૧૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવ્યો .
પ્રાંતિજ ખાતે કાર્યરત પ્રાંતિજ તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા આજરોજ પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે જઇને પ્રાંતિજ-તલોદ ના પ્રાંન્ત અધિકારી સોનલ બા પઢેરીયા ને મુખ્ય મંત્રી રાહતફડ માં રૂપિયા ૨૧૦૦૦ નો ચેક અર્પણ કર્યો હતો તો આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સંધ ના પ્રમુખ ઈન્દ્રસિંહ પરમાર , મંત્રી વણકર રમણભાઈ , પોપટભાઈ સાહેબ , અરવિંદભાઇ રાવલ ઉપસ્થિત રહ્યા હતા .