મેઘરજ : અંતોલી ગામે પિતાએ ૪ વર્ષના પુત્રને ગળે ટુંપો આપી ખેતરમાં નાખી દેતા ચકચાર
હત્યારાના ત્રણ-ત્રણ પ્રેમ લગ્ન નિષ્ફ્ળ રહેતા તાંત્રિક વિધીની આશંકા
પ્રતિનિધિ દ્વારા ભિલોડા “છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય” તે કહેવતને ખોટી પાડતી ઘટના અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના અંતોલી ગામે બની છે જેમાં ત્રણ ત્રણ લગ્ન કર્યા બાદ પણ સુખી સંસાર ભોગવી નહિ શકનાર યુવકે તેના જ ૪ વર્ષીય માસુમ પુત્રને કાળા દોરાથી ગળે ટૂંપો આપી ગળું દબાવી દઈ પુત્રનુ મોત નીપજ્યુ હોવાનું માની કુવા નજીક તેના ખેતરમાં નાખી દઈ રફુચક્કર થઇ જતા ભારે ચકચાર મચી હતી ખેતરમા બેભાન અવસ્થામાં રહેલા પૌત્રને દાદાએ જોતા જ તાબડતોડ પૌત્રને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો
૪ વર્ષીય પૌત્રનું મોત નિપજતા પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું પૌત્રની હત્યા પુત્રએ જ કરી દેતા પરીવાર પર આવી ચઢેલી વજ્રઘાત સામાન ઘટનાથી આક્રંદ કરી મૂક્યું હતું પિતાએ પુત્ર સામે પૌત્રની હત્યા કરવાનો ગુન્હો ઇસરી પોલીસ સ્ટેશને નોંધાવતા પોલીસે હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા હત્યારાના ત્રણ ત્રણ લગ્ન પછી પણ પત્ની જતી રહેતા તેના ૪ વર્ષીય પુત્રની કાળા દોરાની મદદ્થી ગળે ટુંપો આપતા તાંત્રિક વિધિ કે અંધશ્રદ્ધાના વહેમમાં પણ હત્યા કરી હોવાની શંકા કુશંકાઓ થઇ રહી છે મેઘરજ તાલુકાના અંતોલી ગામે પિતાએ ચાર વર્ષના પુત્રની હત્યાકરી
મેઘરજ તાલુકાના અંતોલી ગામનો નૈનેશ નરસિહ નિનામા છેલ્લા સાત વર્ષથી અમદાવાદ બાજુ છુટક મજુરી કામકરતો હતો તેણે પ્રથમ નારણપુર ગામે એક મહીલા સાથે પ્રેમલગ્ન કર્યાહતા તેઓનુ લગ્ન જીવન એકાદ વર્ષસુધી સારૂરહ્યુહતુ ત્યારબાદ નૈનેશ અને તેની પત્ની વચ્ચે મનમેળ ન રહેતાં નૈનૈશની પત્ની તેના પિયરમાં જતીરહીહતી ત્યારબાદ નૈનેશ દાવલી ગામે એક મહીલા સાથે બીજા પ્રેમલગ્ન કર્યાહતા જેમાં નૈનેશે આ મહીલા સાથે ત્રણ વર્ષ સુધી ઘર સંસાર ચલાવ્યોહતો તે દરમ્યાન તેને સંતાનમાં એક દીકરો ધ્રુવ હતો
ધ્રુવનો જન્મ થયાપછી આ બન્નેને મનમેળ ન રહેતાં નૈનેશ ની બીજી વારની પત્ની તેના છોકરા ધ્રુવને નૈનેશના ઘરે મુકી તેના પિયર જતી રહેલી ત્યારથી ધ્રુવ ને તેના પિતાના પરીવારે પાસે રાખી તેઓએ તેનુ પાલન પોષણ કરી મોટો કર્યોહતો ત્યારબાદ નૈનેશ દાહોદ જીલ્લાના ઘરબાડા તાલુકાના કોઇ ગામની છોકરી સાથે પ્રેમલગ્ન કરી તેના ઘરે અંતોલી ગામે છ માસ અગાઉ લાવેલો ત્યારબાદ નૈનેશની ત્રીજી પત્ની અંતોલી ગામે ચાર માસ જેટલો સમય રહેલી અને દાહોદ થી તેના પિતા અંતોલી ગામે આવતાં નૈનેશ ની ત્રીજી પત્ની પણ તેના પિયર જતીરહીહતી ત્યારબાદ નૈનેશ અમદાવાદ ખાતે મજુરી કામેજતો રહેલો અને તા.૨૫/૮/૨૦૨૦ નારોજઅમદાવાદ થી નૈનેશ પાછો તેના ઘરે અંતોલી આવ્યોહતો અને તેના પિતા સાથે રહેતોહતો
તા.૨૮/૮/૨૦૨૦ ના રોજ સવારે નૈનેશ તેના દીકરા ધ્રુવ ને લઇને રેલ્લાવાડા ગામે બાલકપાવવા ચાલતો નીકળ્યોહતો ત્યારબાદ અડધા કલ્લાકમાં નૈનેશ એકલો ઘરે આવી અને તેના કપડા થેલીમાં ભરી નીકળતોહતો તેવામાં નૈનેશના પિતા નરસિહભાઇ એ નૈનેશ ને પુછ્યુહતુ કે ધ્રુવ ક્યાંછે નૈનેશે નરસિહભાઇને જણાવ્યુ હતુ કે ધ્રુવને મારી માસી ના ઘરે મુકીને આવ્યોછુ તેમ જણાવી નૈનેશ કપડાંનો થેલો લઇને જતોરહ્યોહતો જેથી નરસિહભાઇ એ નૈનેશની માસીને ફોન કરીને પુછ્યુહતુ કે ધ્રુવ તમારી પાસેછે તેમણે કહ્યુ કે ધ્રુવ અહીયા આવ્યોનથી ત્યારબાદ નૈનેશના પિતા અને માતા એ આજુ બાજુ ધ્રુવની શોધ ખોળ આદરીહતી તેવામાં તેમના ઘર નજીક આવેલ કુવાપાસે મકાઇ ના ખેતરમાં થી મળ્યોહતો ધ્રુવ ના ગળામાં કાળો દોરો ફીટ બાંધી ગાંઠ મારી દીધેલહતી અને ધ્રુવ બેભાન હાલતમાં પડેલહતો જેથી નરસિહભાઇએ ઘ્રુવને ઉચકી ઘરેલાવી તેના ઘળામાંથી દોરો કાપી અને ધ્રુવને મોટરસાયકલ ઉપર ઇસરી સરકારી દવાખાને લાવવામાં આવ્યોહતો
દવાખાનાના હાજર તબીબે તપાસ કરી વધુ સારવાર માટે મોડાસા સાર્વજનીક હોસ્પીટલ ખાતે રીફર કર્યોહતો પરંતુ ધ્રુવની નાજુક હાલત ને લઇ વધુસારવાર માટે ધ્રુવને અન્ય હોસ્પીટલ માં ખસેડાયોહતો પરંતુ ત્યાંપણ હોસ્પીટલ ના તબીબે ના પાડતાં મોડાસા ની એક પ્રાઇવેટ હોસ્પીટલમાં ધ્રુવને એડમીટ કરાયોહતો
જ્યાં ધ્રુવને બે દીવસ વેન્ટીલેટર ઉપર રખાયોહતો પરીવાર પાસે પૈસા નહોવાથી ધ્રુવને પ્રાઇવેટ હોસ્પીટલમાંથી રજા લઇ ૩૦ ઓગષ્ટે હીંમતનગર ની સિવીલ હોસ્પીટલમાં ખસેડાયોહતો જ્યાં ધ્રુવ વેન્ટીલેટર ઉપરહતો ૩૧ ઓગષ્ટે સવારે ધ્રુવનુ સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજ્યુહતુ જે ઘટના બાબતે આરોપી નૈનેશ ના પિતા નરસિહ દેવા નિનામા રહે. અંતોલી તા.મેઘરજ એ ઇસરી પોલીમાં પોતાના દીકરા નૈનેશ સામે ખુનનો ગુનો નોધાવ્યોહતો ઇસરી પોલીસે ફરાર આરોપી ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.