Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્રારા શ્રી મુકતજીવન સ્વામીબાપાની 113 મી જયંતી ઉજવાશે

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્રારા સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુકતજીવન સ્વામીબાપાની 113 મી પ્રાગટ્ય જયંતી તા.૧૭ સપ્ટેબર ને ગુરુવાર ના રોજ તેમના પ્રથમ પટ્ટરિષ્ય મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી કુમકુમ – મણિનગર અને નાદરી ખાતે ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવનો સૌ કોઈ દેશ વિદેશના ભકતો લાભ લઈ શકે તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ યુટુયબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

આ મહોત્સવ અંગે કુમકુમ મંદિરના સાઘુ પ્રેમવત્સલદાસજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. ૧૭ ના રોજ શ્રી મુકતજીવન સ્વામીબાપાની પુષ્પ, શર્કરા, પુંગીફલ,ગોળ અને પેંડા થી તુલાવિધિ, ષોડ્શોપચારથી મહાપૂજન,પંચામૃતથી મહા અભિષેક, સંતવાણી આદી વિવિઘ કાર્યક્રમો યોજાશે.આ પ્રસંગે મહંત શારત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીર્વચન આપશે.

આ મહોત્સવના ભાગ રુપે તા. ૧૬ ને બુધવારના રોજ રાત્રે ૭ – ૩૦ થી ૯ – ૩૦ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની વાતો ની પારાયણ અને કીર્તન ભક્તિ યોજાશે. કુમકુમ મંદિરના સાઘુ પ્રેમવત્સલદાસજીએ શ્રી મુક્તજીવન રવામીબાપા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે,
જીવનપ્રાણ સ્વામીબાપાએ ગુજરાત ભારત સાધુ સમાજના અધ્યક્ષ અને અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ પદે રહીને જનસમાજની સેવા કરી છે. સ્વામિનારાયણ સંપદાયમાંથી વિદેશની ભૂમિ ઉપર તેઓ સૌ પ્રથમ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને લઈને ઈ.સ. ૧૯૪૮ માં આફીકા પધાર્યા હતા. ત્યારથી વિદેશની અંદર સત્સંગ પ્રચારનો પ્રારંભ થયો છે અને જેને લઈને આજે અનેક મંદિરો સ્થપાયા છે.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.