Western Times News

Gujarati News

“કસૌટી જિંદગી કી ૨”માં ફરી એક્ટર સાહિલની એન્ટ્રી?

મુંબઈ: એકતા કપૂરની સીરિયલ કસૌટી જિંદગી કી ૨માં નિવેદીતા બાસુના પતિ અનુપમ સિંહનો રોલ પ્લે કરનાર સાહિલ આનંદ શોમાં પાછો ફરવાનો હોવાના રિપોર્ટ્‌સ છે. એક્ટરે આમ તો શો છોડી દીધો હતો પરંતુ તે ફરીથી શોની કાસ્ટને જોઈન કરવાનો છે. સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે, સાહિલ આનંદ શો માટે પોતાના વતન ચંડીગઢથી ખાસ મુંબઈ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શો કસૌટી જિંદગી કી ૨ ઓફ-એર થઈ જવાનો છે અને તેનો છેલ્લો એપિસોડ ૩ ઓક્ટોબરે શૂટ થવાનો હોવાનું રિપોર્ટ્‌સનું કહેવું છે.

મેકર્સ હેપ્પી નોટ સાથે શોનો અંત લાવવા ઈચ્છે છે અને તેઓ ફેન્સને તેમણે ખરેખર શું એન્જોય કર્યું અને આખી કાસ્ટ વચ્ચેની ગજબની કેમેસ્ટ્રીને બતાવવા માગે છે. આ સિવાય પાર્થ સમથાન અને સાહિલ વચ્ચેનું બોન્ડિંગ સારુ દર્શાવાયું હતું, તો એરિકા અને પૂજા બેનર્જીને પણ તેની સાથે સારુ ફાવતુ હતું. તેથી ફેન્સ સીરિયલનો એન્ડ જોઈને ખુશ થાય તેમ મેકર્સ ઈચ્છે છે.

આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મેકર્સે સાહિલને શોમાં પાછા આવવા માટે મનાવ્યો હતો અને તેણે હા પણ પાડી દીધી હતી, તેમ રિપોર્ટ્‌સમાં કહેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, શોમાં સાહિલ આનંદ, પાર્થ સમથાન, એરિકા અને પૂજા બેનર્જી વચ્ચે જેવું બોન્ડિંગ શોના અગાઉના એપિસોડમાં બતાવાયું હતું, તેવું બોન્ડિંગ રિયલ લાઈફમાં છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

ચારેય ખૂબ જ સારા મિત્રો છે અને તેઓ ઘણીવાર પાર્થ સમથાનના ઘરે મોડી રાત સુધી પાર્ટી કરતાં સ્પોટ થયા છે. આ સિવાય તેઓ એકબીજા સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે. સૂત્રોનું માનીએ તો, સતત ઘટતી જઈ રહેલી ટીઆરપી અને ફાળવવામાં આવેલા અન્ય ટાઈમ સ્લોટથી શોના મેકર્સ ખુશ નથી અને તેથી તેમણે શો બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. અગાઉ પાર્થ સમથાન શો છોડી રહ્યો હોવાથી આ ર્નિણય લેવામાં આવી રહ્યો હોવાનું કહેવાય રહ્યું હતું, પરંતુ બાદમાં પાર્થ સમથાને એકતાની વાત માનીને શો ન છોડવાનું નક્કી કર્યું હોવાનું પણ સામે આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.