Western Times News

Gujarati News

નિવૃત્ત યુવરાજ સિંહ ક્રિકેટમાં ફરીવાર પાછો ફરવા માગે છે

નવી દિલ્હી: ભારતને બે વખતનો વર્લ્‌ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ફાળો આપનાર અનુભવી ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ક્રિકેટમાં પાછા ફરવા માંગે છે. તેમણે પોતાના ર્નિણય અંગે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના અધ્યક્ષ સૌરભ ગાંગુલીને પત્ર લખ્યો છે. તેણે ૨૦૧૯માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે આ સ્ટાલિશ ડાબોડી બેટ્‌સમેન છેલ્લે ઈંગ્લેન્ડ સામે ટી -૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ફેબ્રુઆરી ૨૦૧૭માં ભારત માટે રમ્યો હતો. ડાબા હાથના સ્ટાર બેટ્‌સમેને ભારત માટે ૪૦ ટેસ્ટ, ૩૦૪ વનડે અને ૫૮ ટી -૨૦ મેચ રમી હતી. યુવરાજને વર્લ્‌ડ કપ ૨૦૧૯ની વર્લ્‌ડ કપ ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો અને તે પછી જ તેણે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા આપવાનું નક્કી કર્યું હતું. ત્યારથી તે વિદેશમાં લીગ રમી રહ્યો છે.

હવે પંજાબ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી પુનીત બાલીને યુવરાજે તેમની નિવૃત્તિના ર્નિણય પર ફરીથી વિચાર કરવા જણાવ્યું છે. સમાચારો અનુસાર, બાલીએ યુવરાજને તેના વિશે વિચારવાનું કહ્યું છે, જોકે યુવરાજે હજી આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. બાલી કહે છે, ‘આ યુવા છોકરાઓ સિઝન માટે તૈયાર થતાં પહેલાં અમારા ફિઝિયો અને ટ્રેનર્સ સાથે ઘણું કામ કરી રહ્યા હતા.

યુવરાજ ચંદીગઢમાં હતો ત્યારે તેણે આ છોકરાઓ સાથે પણ ભાગ લીધો હતો. છેલ્લા કેટલાક સિઝનથી અમારા કેટલાક ખેલાડીઓ અન્ય રાજ્યોમાં સ્થળાંતર થયા છે.

ઘણા ખેલાડીઓ ચંદીગઢ, છત્તીસગઢ અને હિમાચલમાં ગયા છે. તેથી અમને લાગે છે કે યુવરાજનો અનુભવ અને ક્ષમતા ધરાવનાર ખેલાડી યુવાનોને પ્રેરણા આપવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. ૨૦૦૭ વર્લ્‌ડ ટી ૨૦માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ સ્ટુઅર્ટ બ્રોડના એક જ ઓવરમાં ૬ સિક્સર અને આ મેચમાં માત્ર ૧૨ બોલમાં અડધી સદી હજી પણ તેનો વર્લ્‌ડ રેકોર્ડ છે. ચેમ્પિયન ખેલાડીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૪૦ ટેસ્ટ, ૩૦૪ વનડે મેચ રમી હતી. ૩૦૪ વનડે મેચમાંથી યુવરાજે ૩૦૧ મેચ ભારત માટે રમી હતી, જ્યારે બાકીની ૩ વનડે મેચ એશિયા ઇલેવન માટે રમી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.