Western Times News

Gujarati News

ભાવનગર : નિવૃત ડીવાયએસપીના પુત્રએ પરીવાર સાથે આત્મહત્યા કરતાં ચકચાર

(પ્રતિનિધિ) ભાવનગર, શહેરના વિજયરાજનગરમાં રહેતા નિવૃત્ત ડીવાયએસપીના પુત્રએ પરીવાર સાથે સામુહીક આત્મહત્યા કરવાની ઘટના બનતાં ચકચાર મચી છે. પોલીસ તપાસમાં રીવોલ્વર વડે ફાયરીંગ કરી આપઘાત કર્યાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
આ ઘટનાની વિગત એવી છે કે નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજા વિજયનગર ખાતે પરીવાર સાથે રહેતા હતા બુધવારે તેમણે કોઈ કારણોસર પત્ની તથા બે દીકરીઓ સાથે રીવોલ્વર વડે ફાયરીંગ કરી સામુહીક આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પૃથ્વીરાજસિંહે કારણોસર આવું પગલું લીધુ એ દિશામાં તપાસ શરૂ કરી છે ઘટનાની જાણ થતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.