Western Times News

Gujarati News

અભિનેત્રી કંગનાએ અનુરાગ કશ્યપને મંદબુદ્ધિ કહી દીધુ

મુંબઈ: કોઈની પરવા કર્યા વિના નિવેદનો આપવા માટે જાણીતી બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત હાલના દિવસોમાં સતત ચર્ચામાં છે. સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને જ્યારેથી તેણે બોલિવુડમાં ડ્રગ્સની વાત કરી છે, ત્યારથી તેનું કોઈને કોઈ બોલિવુડ સેલિબ્રિટી સાથે શાબ્દિક યુદ્ધ થઈ રહ્યું છે. હવે, કંગના અને ફિલ્મમેકર અનુરાગ કશ્યપની વચ્ચે ટિ્‌વટર વોર શરૂ થઈ ગયું છે. કંગનાએ રનૌતે ટ્‌વીટ કરતા લખ્યું હતું કે, હું એક ક્ષત્રાણી છું.

માથું કપાવી શકું છું, પરંતુ માથું નમાવી ન શકું! રાષ્ટ્રના સન્માન માટે હંમેશા અવાજ ઉઠાવતી રહીશ. માન, સન્માન, સ્વાભિમાનની સાથે જીવી રહી છું અને ગર્વની સાથે રાષ્ટ્રવાદી બનીને જીવતી રહીશ! સિદ્ધાંતની સાથે ક્યારેય સમજૂતી નહીં કરું! જય હિંદ.

કંગનાની આ ટ્‌વીટ પર અનુરાગ કશ્યપે રીટ્‌વીટ કરતા લખ્યું કે, ‘બસ એક તું જ છે બહેન- એકમાત્ર મણિકર્ણિકા. તું ચાર-પાંચને લઈન ચીન પર હુમલો કરી દે. જો, કેટલા અંદર સુધી ઘુસી આવ્યા છે. તેમને પણ બતાવી દે, જ્યાં સુધી તું છે આ દેશનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે.

તારા ઘરથી એક દિવસનું મુસાફરી છે બસ એલએસી જા જા શેરની. જય હિંદ. અનુરાગની આ ટ્‌વીટ પછી કંગના ક્યાં ચુપ બેસવાની હતી. તેણે અનુરાગની ટ્‌વીટને રીટ્‌વીટ કરતા લખ્યું કે, ઠીક છે હું બોર્ડર પર જાઉં છું તમે આગામી ઓલિમ્પિકમાં જજો, દેશને ગોલ્ડ મેડલ્સ જોઈએ. હાહાહા આ બધુ કોઈ બી ગ્રેડ ફિલ્મ નથી જ્યાં કલાકાર કંઈપણ બની જાય છે, તમે તો મેટફોર્સને લિટરલી લેવા લાગ્યા. આટલા મંદબુદ્ધિ ક્યારથી થઈ ગયા, જ્યારે આપણી દોસ્તી હતી ત્યારે તો ઘણા હોંશિયાર હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.