Western Times News

Gujarati News

કાશ્મીરમાં ૪૦ વર્ષીય વકીલની ગોળી મારી હત્યા

શ્રીનગર, શ્રીનગરમાં શંકાસ્પદ આતંકવાદીઓએ એક ૪૦ વર્ષીય વકીલની તેમના ઘર પર ગોળી મારી હત્યા કરી દીધી વકીલ બાબર કાદરી ટીવી સમાચાર ચર્ચામાં સતત જાેવા મળી રહ્યાં હતાં. અને સ્થાનિક સમાચાર પત્રોમાં લેખ લખતા હતાં પોલીસે કહ્યું કે તેમની હત્યા ગોળી મારીને કરવામાં આવી.

એ યાદ રહે કે ત્રણ દિવસપહેલા વકીલે એક સ્ક્રીનશોર્ટ ટ્‌વીટ કર્યો હતો અને પોલીસને કહ્યું હતું કે કોઇ ફેસબુક યુઝર્સ તેમની વિરૂધ્ધ ખોટું અભિયાન ચલાવી રહ્યો છે કાદરીએ પોતાના અંતિમ ટ્‌વીટમાં લખ્યું હતું કે મેં રાજય પોલીસ પ્રશાસનથી શાહ નજીરની વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવાની વિનંતી કરૂ છું જે મારી વિરૂધ્ધ ખોટો પ્રચાર ફેલાવી રહ્યાં છે કે હું એજન્સીઓ માટે કામ કરૂ છું. આથી મારી જાનને ખતરો હોઇ શકે છે.

વકીલને ગોળી મારી હુમલાખોર ભાગી ગયા પોલીસે કહ્યું કે તેમણે એસકેઆિએમએસ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જયાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા કાદરી ગત ૨૪ કલાકમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા બીજા વ્યક્તિ છે. બુધવારે રાતે બડગામ જીલ્લામાં એક બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલના ચેરમેન ભુપિંદર સિંહની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.