Western Times News

Gujarati News

ગીતકાર અને લેખક અભિલાષનું નિધન

મુંબઇઃ કોરોના કાળમાં બોલીવૂડની વધુ એક હસ્તી ગીતકાર અને લેખક અભિલાષ (Abhilash)નું સોમવારે નિધન થઇ ગયું. નાના પાટેકરની વિચારલક્ષી ફિલ્મ અંકુશની પ્રાર્થના ‘ઇતની શક્તિ હમેં દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના’જેવા ગીતોની રચના કરી છે.

અભિલાષ (Abhilash) લિવર કેન્સરથી પીડિત હતા. તેમણે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધો હતો. તેઓ 74 વર્ષના હતા. તેમને થોડા દિવસો પહેલાં જ લીવર કેન્સરનું નિદાન થયું હતું. ત્યાર બાદ લીવર ટ્રાન્સપ્લાન્ટની તૈયારી ચાલી રહી હતી. પરંતુ તે પહેલાં જ આજે સવારે તેમણે આ દુનિયા છોડી દીધી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.