Western Times News

Gujarati News

ફરીદકોટમાં એક જ પરિવારના ચાર સભ્યોએ આત્મહત્યા કરી

ફરીદકોટ, પંજાબના ફરીદકોટ જીલ્લાના કલેર ગામમાં એક વ્યક્તિ દ્વારા પોતાની પત્ની અને બે બાળકોની સાથે આગ લગાવી આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે મૃતકની ઓળખ રાજસ્થાનના સિકર જીલ્લાના નિવાસી ૪૦ વર્ષીય ધર્મપાલના રૂપમાં કરવામાં આવી છે જે ગત ૧૦ વર્ષથી કલેરમાં પોતાની પત્ની સીમા ૩૬,પુત્રી મોનિકા અને પુત્ર હતીષ કુમાર ઉવ ૧૦ની સાથે રહેતો હતો. ધર્મવાલ અહીં ઢુડી રોડ પર એક ઇટની ભટ્ટીમાં મુંશીનું કામ કરતા હતા.

પોલીસને પ્રાથમિક તપાસમાં એક સુસાઇડ નોટ પણ મળી છે. જેમાં તેણે આ પગલુ ઉઠાવવા માટે લોકડાઉનની સાથે ઇટ ભટ્ટાના કારોબારથી જાેડાયેલ શંટી મના વ્યક્તિને જવાબદાર ઠેરવ્યા છે. પોલીસે હવે તેના આધાર પર મામલાની તપાસ કરી રહી છે.કલેર ગામના લોકોએ જણાવ્યું હતું કે આ પરિવાર ગત અનેક વર્ષોથી અહીં રહે છે અને લોકડાઉનના કારણે કારોબાર પ્રભાવિત થવાથી પરેશાન રહ્યો હતો આજે સવારે ગામવાસીઓએ જાેયું કે ઘરમાંથી ધુમડો નિકળે છે અને ઘરમાંથી અવાજ નહીં આવતા દરવાજો તોડવામાં આવ્યો હતો ત્યારે પરિવારના તમામ સભ્ય સખ્ત રીતે દાઝી ગયા હતાં બાદમાં ઘટનાની જાણકારી પોલીસને કરાઇ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.