Western Times News

Gujarati News

ફાફડા જલેબી ખાવાની મજા દુકાનમાં નહીં માણી શકાય

અમદાવાદ: રવિવારે (૨૫ ઓક્ટોબર, 2020) દશેરા છે. આ દિવસે ગુજરાતીઓ મન ભરીને ફાફડા-જલેબીની લિજ્જત માણતા હોય છે. દશેરાએ દિવસ દરમિયાન ફાફડા-જલેબીની દુકાનોમાં ભારે ભીડ જોવા મળે છે. તો દુકાનદારો પણ ગ્રાહકોને પહોંચી વળવા માટે આજથી જ તૈયારીઓ શરુ કરી દેશે.

હાલ મહામારી ચાલી રહી છે ત્યારે ફાફડા અને જલેબીની ગુણવત્તાની ચકાસણી કરવા સિવાય અમદાવાદ મહાનગરપાલિકાએ ગ્રાહકો પર સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ પણ લાગુ કર્યો છે.

ગ્રાહકોને ફાફડા-જલેબીની દુકાનોમાં ઊભા રહીને આનંદ માણવાની મંજૂરી અપાશે નહીં.
એએમસીએ કહ્યું હતું કે, દશેરાના તહેવાર પર ગ્રાહકોને ફાફડા-જલેબીની દુકાનોમાં ઊભા રહીને આનંદ માણવાની મંજૂરી અપાશે નહીં. મહાનગરપાલિકાના અધિકારીઓએ ૨૪ જેટલી દુકાનોમાંથી બેસન, ફાફડા. જલેબી, તેલ, ઘી તેમજ અન્ય સામગ્રીઓના સેમ્પલ લીધા હતા. એએમસીએ ઈસ્કોન ગાંઠીયા રથ, લક્ષ્મી ગાંઠીયા રથ અને સૌરાષ્ટ્ર નાસ્તા હાઉસ સહિતની દુકાનોમાંથી સેમ્પલ લીધા હતા. લેવાયેલા કુલ ૭૭ સેમપ્લમાંથી ૨૧ સેમ્પલ બેસન અને ફાફડા માટે વપરાતી અન્ય સામગ્રીના હતા.

ગ્રાહકોની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે અને દરેકે માસ્ક પહેર્યું હોય તેની ખાતરી કરવાની જવાબદારી દુકાનના માલિકોની છે’,
લેવામાં આવેલા અન્યસેમ્પલમાં ૧૪ મીઠાઈઓના અને ૧૦ ફાફડા બનાવવા માટે વપરાયેલા મસાલાના હતા. એએમસીએ કહ્યું કે, આ ડ્રાઈવ શનિવારે અને રવિવારે પણ ચાલુ રહેશે. ગ્રાહકોની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે અને દરેકે માસ્ક પહેર્યું હોય તેની ખાતરી કરવાની જવાબદારી દુકાનના માલિકોની છે’, તેમ એએમસીના અધિકારીએ કહ્યું હતું. એએમસીએ કહ્યું કે, ગ્રાહકોને રસ્તા પર પોતાના વ્હીકલ પાસે ઉભા રહીને અથવા બેસીને પણ ફાફડા-જલેબી ખાવાની મંજૂરી અપાશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.