Western Times News

Gujarati News

મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે સરદાર ધામ – મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો શુભારંભ

વડોદરા:   રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલ રવિવાર તા.૨૫ ઓકટોબર-૨૦૨૦ના રોજ મિશન ૨૦૨૬ હેઠળ સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. સરદાર ધામ પબ્લિક ટ્રસ્ટ આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, મંત્રીશ્રીઓ, જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૮ પર એલ.એન્ડ ટી. નોલેજ સિટી પાસે અનખોલ ગામની હદમાં યોજવામાં આવ્યો છે જ્યાં સવારે ૧૦.૧૫કલાકે મુખ્યમંત્રીશ્રી પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. તેમાં ૫ લાખ ચોરસ મીટર જમીનમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સમાજ ઉત્કર્ષલક્ષી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેનાર સરદાર ભવનના નિર્માણ સહિતના વિવિધ પ્રયોજનોનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.