Western Times News

Gujarati News

અસત્ય પર સત્યના વિજયના વધામણા લેતા ભરૂચવાસીઓ : ભરૂચ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે શસ્ત્રપૂજન વિધિવંત યોજાયું

વિરલ રાણા દ્વારા ભરૂચ : અસત્ય પર સત્ય ના વિજયના પર્વ વિજ્યા દશમી નિમિત્તે ભરૂચ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.તો બીજી તરફ ભરૂચવાસીઓએ દશેરાના દિવસે નવા વાહનો તથા શુભકાર્યો કર્યા હતા.

વિજ્યા દશમી દશેરા મહાપર્વના મહિમા વર્ણવતી અનેક કથાઓ છે.જેમાં ભગવાન રાજા રામે દશેરા ના દિવસે લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો.એમ કહેવાય છે ૧૨ વર્ષનો વનવાસ અને ૧૩ માં વર્ષના અજ્ઞાત વાસ પછી પાંડવો એ શમી વૃક્ષ માં સંતાડેલ એમના દિવ્ય શસ્ત્રોનું પૂજન કરી ધારણ કરેલા

આ પરંપરા આજે પણ જળવાઈ રહી હોય તેમ ઠેર ઠેર શસ્ત્રપૂજનના આયોજન કરાયા હતા.જેમાં ભરૂચ હેડ ક્વાટર્સ ખાતે નાયબ જીલ્લા પોલીસવડા વિકાસ સુંડાની ઉપસ્થિતિમાં શસ્ત્રપૂજન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.શસ્ત્રપૂજન માં શાસ્ત્રોક્ત વિધિ સાથે પોલીસ વિભાગ ના રિવોલ્વર,બંદુકો,સ્ટેનગન વિગેરે શસ્ત્રો સહીત પોલીસના અશ્વ,શ્વાન અને વાહનોનું પણ વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.