Western Times News

Gujarati News

સરકારમાં સેવારત તમામ અધિકારી-કર્મચારીઓને ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ રાજ્ય સરકાર આપશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારના પાંચ લાખથી વધુ અધિકારી કર્મચારીઓને દીપાવલી ભેટ રૂપે તહેવાર પેશગી આપવાનો ઉદાત્ત નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીના આ કર્મયોગી હિતકારી નિર્ણયને પરિણામે રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દીપાવલી નૂતનવર્ષ તહેવારોના અવસરે ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે મળશે.

રાજ્ય સરકારે આ હેતુસર અંદાજે રૂ. પ૦૦ કરોડની નાણાં જોગવાઇ કરી છે. ડિજિટલ ટ્રાન્ઝેકશનને વધુ પ્રોત્સાહિત કરવા આ એડવાન્સની રકમ અધિકારીઓ કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે.  અધિકારીઓ-કર્મચારીઓને મળનારી આ પેશગી રાજ્ય સરકાર દ્વારા વગર વ્યાજે ૧૦ માસિક સરખા હપ્તામાં પરત  લેવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના આ ઉદ્દાત નિર્ણયને પરિણામે દીપાવલીના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓની ખરીદીમાં સુગમતા રહેશે તેના પરિણામે નાના વ્યાપારીઓના વ્યવસાય રોજગારને વેગ મળશે.પ્રવર્તમાન સ્થિતીમાં દેશ તથા રાજ્યના અર્થતંત્રને પણ નવી ગતિ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.