Western Times News

Gujarati News

ઈલાયચીના નુસખાથી ડાયાબિટીસ કન્ટ્રોલમાં રાખો

જાેવામાં નાનકડી લાગતી ઈલાયચી ઘણાં ગુણોથી ભરપુર છે. તેમાં વિટામીન, કેલ્શિયમ, આયર્ન, ફાઈબર, એન્ટીઓક્સિડન્ટ, એન્ટી વાઈરલ અને એન્ટી ઈન્ફલેમેટરી ગુણ હોય છે. તેનું રોજ સેવન કરવાથી સિઝનલ બિમારીઓથી લઈને ડાયાબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે. આવા સંજાેગોમાં ડાયાબિટીસના દર્દીઓએ ચામાં ઈલાયચીનું સેવન જરૂર કરવું જાેઈએ. ઈલાયચીથી શુગર લેવલ અને વજન કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે. તેનાથી આખો દિવસ એનર્જિટિક ફીલ થાય છે.

• લોકો સવાર સાંજ દૂધ વાળી ચા પીતા હોય છે. આવા સંજાેગોમાં ૧-ર ઈલાયચી, ૧ ઈંચ આદુનો ટુકડો મિક્સ કરીને ચા પીવી ફાયદાકારક છે. તેનાથી શરીરનો થાક અને કમજાેરી દૂર થાય છે. ડાયાબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે અને પાચનતંત્ર મજબૂત થાય છે. તેનાથી પેટનો દુખાવો, કબજિયાત, એસિડિટી જેવી પરેશાનીઓ દૂર થાય છે.

• જમવા સાથે જાેડાયેલી ખરાબ આદતોના કારણે વજન વધે છે. તેમાંથી મેદસ્વિતા, ડાયાબિટીસ અને અન્ય બિમારીઓ જન્મે છે. તેને સમય સાથે કન્ટ્રોલમાં લેવી ખૂબ જરૂરી છે. આવા સંજાેગોમાં વજન ઘટાડવા માટે લોકો લીંબુમાંથી તૈયાર કરેલી લેમન ટી પીવે છે. તેમાં રહેલા પોટેશિયમ, એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી વાઈરલ ગુણો વજન ઘટાડે છે. ઘણાં લોકોને લેમન ટીનો સ્વાદ ગમતો નથી તમે તેમાં બે ઈલાયચી નાખીને પીશો તો તે સ્વાદિષ્ટ પણ લાગશે અને તમારૂં વજન પણ ઘટશે.

• રોજ એક-બે કપ ગ્રીન ટી પીવાથી શરીર સારી રીતે ડીટોક્સ થાય છે. જાે તમે ગ્રીન ટીમાં ઈલાયચી મિક્સ કરીને પીશો તો શુગર લેવલની સાથે સાથે વજન પણ કન્ટ્રોલમાં રહેશે.

• ભોજન બાદ એક ઈલાયચી ચૂસવાથી મોંની વાસ દૂર થાય છે. અને જમવાનું પણ સારી રીતે પચી જાય છે.• ઈલાયચીની ચાનાં સેવનથી ખાંસી-તાવ દૂર થાય છે.• તેમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટછી ઈન્ફ્લેમેટરી અને એન્ટી-વાઈરલ ગુણ હોવાના કારણે મોં અને સ્કીનના કેન્સરની કોશિકાઓને લડવાતી શક્તિ મળે છે.

• તેમાં રહેલું મેગ્નેશિયમ અને પોટેશિયમ બ્લડ સક્ર્યુલેશન સુધારે છે. સાથે સાથે બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. તેથી હાર્ટ એટેક અને દિલની બીમારીઓથી દૂર રહી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.