Western Times News

Gujarati News

નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ નાબૂદ કરનાર ગુજરાત પહેલું

ગાંધીનગર, ભારત સરકારના નિયમ મુજબ નેશનલ હાઈવે પર ટોલ લેવાનો હોય છે પરંતુ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને રજુઆત કરી અમદાવાદ ગાંધીનગર એક એ શહેર છે માત્ર નામ અલગ છે. સતત લોકોની અવરજવર હોવાથી ટોલ લેવુ યોગ્ય નથી અને કેન્દ્ર સરકારે કોઈપણ ટોલ ન લેવાની મંજુરી આપી. ગુજરાત પહેલુ રાજ્ય હશે જેમાં ટોલ નહી લેવાય. એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ઓવરબ્રિજના ઉદ્‌ઘાટન સમારોહ દરમિયાન કહ્યું હતું.

કોરોનામા અનેક અઘરુ હતુ છતા પ્રોજેક્ટ આગળ ચાલ્યો. ૧૫ હજાર કરોડ રૂપિયાના માર્ગ મકાન દ્વારા પ્રોજેક્ટ સાથે તમામ લોકોને રોજગારી મળે તેનો પ્રયાસ ગુજરાતમાં ભારત સરકારના સહયોગથી ચાલે છે. ત્રણ ચાર વર્ષમા ફાટક મુક્ત રાજ્યમા ગુજરાત પહેલુ રાજ્ય બનશે- નીતિન પટેલ તેમણે જણાવ્યું કે, ૯૬૫ કરોડનો ઓખાથી બેટ દ્વારકા પુલ બનાવવાનું કામ ટૂંક સમયમાં પતી જશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, રેલવે મંત્રીને વાત કરીને રાજ્યના અને કેન્દ્ર સરકાર ગુજરાતને ફાટક મુક્ત બનાવશે. ૭૪૦૦ કરોડના ખર્ચે ગુજરાત ફાટક મુક્ત બનશે. નગરપાલિકા અને કોર્પોરેશનની ગ્રાન્ટ આપીને શહેરમાંથી જે રેલવે લાઈન પસાર થાય છે તેને ઓવરબ્રિજ કરવામાં આવશે. આગામી સમયમાં ગુજરાતમાં ૬૮ જેટલા ઓવરબ્રિજ બનશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના યાત્રાધામ માટે અંબાજી ડાકોર પાલીતાણા ૩૨૦ કરોડના ખર્ચે તમામ યાત્રાધામને જોડતા રસ્તાના કામ પૂર્ણ થઈ ગયા છે.

ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા ૭૧ કરોડના બે ફ્લાય ઓવરનું અમિત શાહે ઇ-લોકાર્પણ કર્યું છે. સિંધુ ભવન ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રિજ અને સાણંદ જંકશન ફ્લાય ઓવર બ્રિજનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આ પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ , ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ, સાસંદ સભ્યો, ધારાસભ્યઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.