Western Times News

Gujarati News

રત્નકલાકારે તાપીમાં કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો

સુરત: સુરતના નાનાવરાછા અને મોટા વરાછા જાેડતા સવજી કોરાટ બ્રિજ જાણે સુરતના લોકો માટે આપઘાત મોટું કેન્દ્ર બન્યું છે ત્યારે રત્નકલાકાર તરીકે કામ કરતા એક યુવાને ગઈકાલે આપઘાત કરવાના ઇરાદાથી તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી. જાેકે સ્થાનિક માછીમારી કરતા લોકોએ યુવાને બચાવી સારવાર માટે હૉસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આમ માછીમારોની સક્રિયતા અને માનવતાના કારણે એક હતાશ વ્યક્તિની જિંદગી બચાવવામાં સફળતા મળી હતી. સુરતમાં સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે

જેમાં પણ તાપી નદીમાં આપઘાત માટે કોઈને કોઈ બ્રિજ પરથી સુરતના હતાશ લોકો આપઘાત માટે છલાંગ મારતા હોય છે, ત્યારે ગતરોજ સુરતના સવજી કોરાટ બ્રિજ પરથી યુવકે તાપી નદીમાં જંપ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જાેકે બ્રિજ નીચે હાજર સ્થાનિક રહીશોએ તાત્કાલિક તાપીમાં ઝંપલાવી યુવકને બચાવી લીધો હતો. અર્ધ બેભાન અવસ્થામાં યુવકને સારવાર હોસ્પિટલ ખસેડાયો હતો.જાેકે આ યુવાન વરાછા એકે રોડ રાણા પંચની વાડી ખાતે રહેતો સંદિપ દિગમ્બર પાટીલ હોવા સાથે આ યુવાન હીરાના કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવે છે.

છેલ્લા કેટલાક સમયથી તેમની પત્ની સંતાનો સાથે તેમનાથી અલગ રહે છે. જેથી તેઓ તેના ટેન્શનમાં ડિપ્રેશનમાં રહેતા હતા. દરમિયાન તેણે સવજી કોરાટ બ્રિજ પરથી તાપીમાં જંપ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જાેકે બ્રિજ નીચે હાજર સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ યુવકને બચાવી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ બનાવ વાળી જગ્યા પર દોડી આવી તપાસ કરતા યુવાન પત્નીથી એકલો રહેતો હતો અને પત્ની તેના બાળકોને ન મળવા દેતી હોવાને લઈને ડિપ્રેશનમાં આવીને આ રત્નકલાકર એ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.