Western Times News

Gujarati News

શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સ્વ. વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ આપવા યોજાશે શ્રદ્ધાંજલિ સભા

તા. 10 ઓગસ્ટને શનિવારે સાંજે રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન

રાજકોટઃ પોરબંદરના પૂર્વ સાંસદઅને સૌરાષ્ટ્રના લડાયક સહકારી-ખેડૂત નેતા તેમજ શિક્ષણક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપનાર પાટીદાર સમાજના નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાના નિધનથી ખેડૂત સમાજ ઉપરાંત સહકારીક્ષેત્ર સહિત તમામ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે

ત્યારે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રદ્ધાંજલિ અર્પવા માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આવતીકાલે તા. 10 ઓગસ્ટને શનિવારે સાંજે શ્રી સરદાર પટેલ ભવન ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવેલ છે. ખેડૂતો માટે સહકારીક્ષેત્ર થકી અનન્ય સેવા કરનાર શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાએ જામકંડોરણા જેવા પછાત તાલુકાથી રાજકોટ સુધી કન્યા કેળવણી અને શિક્ષણ માટે જબરી  આહલેક જગાવી હતી તેમજ શ્રી ખોડલધામ મંદિરની સ્થાપનામાં પણ તેમનો કાયમી સંપૂર્ણ સહકાર રહ્યો છે.

સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા પોરબંદરના પૂર્વ સાંસદ ઉપરાંત રાજકોટ ડીસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકના પૂર્વ ચેરમેન અને ઈફકો-દીલ્હીના પૂર્વ વાઈસ ચેરમેન અને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટના પ્રમુખ હતા.

આથી વિઠ્ઠલભાઈ રાદડીયાના નિધનથી સમગ્ર ખેડૂત સમાજ, શિક્ષણ ક્ષેત્રે, સહકારી ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે એક મોટી ખોટ પડી છે. ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રદ્ધાંજલિ આપવા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન તારીખ 10 ઓગસ્ટને શનિવારના રોજ રાજકોટ મુકામે કરવામાં આવ્યું છે. 10 ઓગસ્ટશનિવારે સાંજે 4.30 કલાકે રાજકોટમાં ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે આવેલા શ્રી સરદાર પટેલ ભવન ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રદ્ધાંજલિ સભામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ ઉપરાંત અન્ય ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.