Western Times News

Gujarati News

રાજકોટના 38 દિવ્યાંગ બહેનો શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવના દર્શન કર્યા

રાજકોટ, એક રંગ માનસિક ક્ષતિવાળી બહેનો આવાસી તથા તાલીમી સંકુલ રાજકોટના 38 દિવ્યાંગ બહેનો શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી હતી. 

રાજકોટમાં આઠ વર્ષથી માનસિક ક્ષતીવાળી દિવ્યાંગ બહેનો જેમના માતા-પિતા હૈયાત ન હોય, આર્થીક પરિસ્થીતી સારી ન હોય તેવી જરૂરીયાતમંદ 40 દિકરીઓને વિનામુલ્યે આજીવન સાચવી અને તાલીમ આપવામાં આવે છે. જેમની રહેવા જમવાથી સર્વાંગી વિકાસ તાલીમ પ્રવૃત્તિઓ સાથે સમયાંતરે પ્રવાસ કરવાનુ કાર્ય આ સંસ્થા કરે છે.  તા.8 ના રોજ આ સંસ્થાની 38 દિકરીઓને 10 કર્મચારી સાથે સોમનાથ પહોચેલ હતા, દર્શન પ્રસાદ ભોજન સહિતની વ્યવસ્થા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર કરવામાં આવેલ જે બદલ સંસ્થાના પ્રમુખ દિપીકાબેન પ્રજાપતી એ શ્રી સોમનાથ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરેલ હતો.  

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.