Western Times News

Gujarati News

ભારે વરસાદના કારણે ૭ ટ્રેન કેન્સલ થઈઃ એસટી બસની ૧૯૮૮ ટ્રીપ બંધ

અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રેલવે ટ્રેક પર ભરાયેલા પાણી જ્યાં સુધી ઉતરશે નહી ત્યાં સુધી લાંબા અંતરની ટ્રેનો અને બે પેસેન્જર ટ્રેનો દોડાવવામાં નહી આવે. જયારે એક ટ્રેનનો રૂટ ટૂંકાવી દેવામાં આવ્યો છે. બીજી તરફ સમીખ્યાલી રેલવે સ્ટેશન ખાતે મોડી રાતથી ફસાયેલા ૪૫૦ જેટલા મુસાફરોને એસટી નિગમની બસથી ગાંધીધામ-ભૂજ મોકલવામાં આવ્યા હતા.

રેલવે તંત્ર દ્વારા રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ટ્રેન નંબર – ૧૯૨૬૧ – ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ, ટ્રેન નંબર – ૧૯૨૬૧ – પોરબંદર-કોચુવેલી એક્સપ્રેસ , ટ્રેન નંબર – ૧૯૨૬૧ – જોધપુર-ગાંધીધામ સુપરફાસ્ટ, ટ્રેન નંબર – ૧૬૩૧૧, શ્રીગંગાનગર-કોચુવેલી એક્સપ્રેસ , ટ્રેન નંબર – ૧૨૯૩૭ – ગાંધીધામ-હાવડા એક્સપ્રે, ટ્રેન નંબર – ૫૯૪૨૫ ગાંધીધામ-પાલનપુર પેસેન્જર ટ્રેન, ટ્રેન નંબર – ૧૯૧૫૨ ભૂજ-પાલનપુર ઈન્ટરસિટી

ભારેથી અતિભારે વરસાદ થયો અને ઠેર ઠેર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. છેલ્લા બે દિવસમા ૨૯૪ રૂટ બંધ થતા ૧૯૮૮ ટ્રીપ રદ કરવી પડી હતી. જેના કારણે બે દિવસમા એસટી નિગમને લાખો રૂપિયાનુ નુકસાન થયું હતું. જો કે પ્રવાસીઓની સલામતી માટે એસટી નિગમ દ્વારા રૂટ બંધ કરવામાં આવ્યા હતા.

જ્યાં વધારે પાણી હોય તેવા રૂટમાં બસ ન લઈ જવા માટે પણ એસટી બસના ડાઈવરને સુચના આપવામાં આવી હતી. ભારે વરસાદના કારણે અમદાવાદ, વડોદરા, રાજકોટ, વલસાડ, પાલનપુર સહિતના ડિવિઝનના રૂટ બંધ કરવાની ફરજ પડી હતી. જેના કારણે ૧૦ ઓગસ્ટના ૯૭ રૂટની ૧૩૮૩ ટ્રીપ રદ કરવામાં આવી હતી.

તો ૧૧ ઓગસ્ટના ૧૯૧ રૂટની ૬૦૫ ટ્રીપ રદ કરાઈ..આજે સૌથી વધુ અમદાવાદ ડિવિઝનના રૂટ બંધ રહ્યા હતા. અમદાવાદ ડિવિઝનના ૯૩ રૂટ બંધ રહેતા એસટી બસની ૯૩ ટ્રીપ રદ કરવામાં આવી છે. તો વડોદરા ડિવિઝનની ૫૦ ટ્રીપ અને કચ્છની ૫૬ ટ્રીપ બંધ રહી છે. વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક રૂટો પર પાણી ભરાયેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.