Western Times News

Gujarati News

રિલાયન્સ જિયો અને માઇક્રોસોફ્ટ ગુજરાતમાં ડેટા સેન્ટર સ્થાપશે

પ્રતિકાત્મક તસવીર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીનું કંપનીની 42મી વાર્ષિક સાધારણ સભા પ્રસંગે શેરધારકોને સંબોધન

જિયોએ 340 મિલિયન ગ્રાહકોનું સીમાચિહ્ન પાર કર્યું

આગામી 18 મહિનામાં ચોખ્ખા દેવાને શૂન્ય કરવાનું કંપનીનું આયોજન

રૂ.130,000 કરોડના ટર્નઓવર સાથે રિલાયન્સ રીટેલ ભારતની સૌથી મોટી રીટેલર બની

મુંબઇઃ ઑગષ્ટ 122019: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મૂકેશ અંબાણીએ કંપનીની 42મી વાર્ષિક સાધારણ સભામાં કંપનીના શેરધારકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રિલાયન્સના 75 બિલિયન ડોલરની એન્ટરપ્રાઇઝ વેલ્યુ ધરાવતા ઓઇલ-ટુ-કેમિકલ વ્યવસાયમાં સાઉદી અરામ્કો 20 ટકા હિસ્સો ખરીદશેજે ભારતમાં સૌથી મોટા વિદેશી રોકાણમાંનું એક બનશે.

સાઉદી અરામ્કો અને આરઆઇએલ 25 વર્ષથી વધારે સમયગાળાથી લાંબા ગાળાના ક્રૂડ ઓઇલ સપ્લાય સંબંધ ધરાવે છે. સાઉદી અરામ્કો વિશ્વની સૌથી મોટી અને બેરલદીઠ સૌથી ઓછો ખર્ચ ધરાવતી ક્રૂડ ઓઇલ ઉત્પાદક કંપની છેજે ભૌગોલિક દ્રષ્ટિએ ભારતની નજીક છે અને ક્રૂડ સપ્લાય કરવાના વિવિધ વિકલ્પો ઓફર કરે છે. અત્યાર સુધી તેણે જામનગરમાં આરઆઇએલની રિફાઇનરીમાં પ્રોસેસિંગ માટે અંદાજે 2 અબજ બેરલ ક્રૂડ ઓઇલ સપ્લાય કર્યું છે. પ્રસ્તાવિત રોકાણને પરિણામે સાઉદી અરામ્કો લાંબા ગાળાનાં આધારે જામનગર રિફાઇનરીને (500 કેબીપીડી) દૈનિક પાંચ લાખ બેરલ અરેબિયન ક્રૂડ ઓઇલ સપ્લાય કરશે.

વધુમાંભારતમાં ડિજીટલ પરિવર્તનને ઝડપી બનાવવા માટે રિલાયન્સ જિયો અને માઇક્રોસોફ્ટે હાથ મિલાવ્યા છે. રિલાયન્સ જિયો અને માઇક્રોસોફ્ટ વચ્ચેની 10 વર્ષની પ્રતિબધ્ધતામાં ભારતીય વ્યવસાયો માટે જરૂરી કનેક્ટિવિટીકમ્પ્યુટીંગસ્ટોરેજ સોલ્યુશન્સ અને અન્ય ટેકનોલોજી સેવાઓ અને એપ્લિકેશનો અંગેની બંને કંપનીની વિશ્વસ્તરીય ક્ષમતાઓનો સમાવેશ થાય છે અને વર્તમાન અને નવા વ્યવસાયો સહિતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ઇકોસિસ્ટમને વિસ્તૃત બનાવશે.

સંયુક્ત પ્રયાસોમાંજિયો અને માઇક્રોસોફ્ટ નાના અને મધ્યમ એકમોને સ્પર્ધા કરવા અને વૃધ્ધિ પામવા માટે તૈયાર કરવાની સાથે ભારતમાં ટેકનોલોજી-આધારીત જી.ડી.પી વૃધ્ધિ અને મોટાપાયા પર નવી પેઢીના ટેકનોલોજી સોલ્યુશન્સને સ્વીકારવા માટે નાના અને મધ્યમ એકમોમાં ડેટા એનાલિટીક્સઆર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સકોગ્નીટીવ સર્વિસીસ, બ્લોકચેઇનઇન્ટરનેટ  ઓફ થિંગ્સ અને એજ કંપ્યુટીંગના સ્વીકારને વધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

શ્રી મૂકેશ અંબાણીએ ‘તમસો મા જ્યોતિર્ગમયઃ’ શ્ર્લોક ટાંકીને જણાવ્યુ હતું કે, જિયો પહેલાં ભારત ‘ડેટા ડાર્ક’ હતું, જે હવે ડેટા શાઇનિંગ બ્રાઇટ બન્યું છે. જિયોએ 340 મિલિયનગ્રાહકોનું સીમાચિહ્ન પાર કર્યું છે અને અમે દર મહિને 10 મિલિયન નવા ગ્રાહકો જોડી રહ્યા છીએ. જિયો માત્ર ભારતમાં જ સૌથી મોટી ઓપરેટર કંપની નથી પરંતુ એક જ દેશમાં પરિચાલન કરતી વિશ્વની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની બની છે, એમ શ્રી અંબાણીએ જણાવ્યું હતું

જિયો તેના વ્યાવસાયિક પરિચાલનના પ્રથમ ત્રિમાસિક ગાળાથી નફો કરતી બની છે અને હવે અમે જિયો માટે કનેક્ટિવિટી આવક મેળવનારા ચાર મુખ્ય એન્જિન – ઇન્ટરનેટ ઓફથિંગ્સ (આઇ.ઓ.ટી.), હોમ બ્રોડબેન્ડ, એન્ટરપ્રાઇઝ બ્રોડબેન્ડ અને બ્રોડબેન્ડ ફોર સ્મોલ એન્ડ મિડિયમ બિઝનેસ શરૂ કરવા જઇ રહ્યા છીએ.  જિયો તેના આઇ.ઓ.ટી. પ્લેટફોર્મ  પર 1 બિલિયન ડિવાઇસને જોડશે, જે જિયો માટે વાર્ષિક રૂ.20,000 કરોડની આવકની તક ઊભી કરશે. જિયોનું આઇ.ઓ.ટી. પ્લેટફોર્મ 1 જાન્યુઆરી2020થી વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ બનશે, એમ તેમણે જણાવ્યું હતું.

શ્રી અંબાણીએ જણાવ્યું હતું કે, જિયો ફાઇબરની વ્યાવસાયિક સેવાનો પ્રારંભ 5મી સપ્ટેમ્બર 2019થી થશે. જિયો ફાઇબરમાં એક ગીગા બાઇટ પ્રતિ સેકન્ડ (જી.બી.પી.એસ.) સુધીનીસ્પીડ મળશે અને આ કનેક્શન સાથે લેન્ડલાઇન ફોન જોડાણ નિઃશુલ્ક ઉપલબ્ધ થશે અને સેટ-અપ બોક્સ પણ ઉપલબ્ધ બનશે.  જિયો ફાઇબર હોમ સાથે દરેક લોકલ કેબલઓપરેટરોની તેમના બ્રોડકાસ્ટ ટીવી બિઝનેસ માટે સ્થાયી આવક શરુ થશે.

શ્રી અંબાણીના જણાવ્યા અનુસાર, જિયો ફાઇબરના પ્લાન 100 એમ.બી.પી.એસ.થી શરૂ થશે અને 1 જી.બી.પી.એસ. એટલે કે 1000 એમ.બી.પી.એસ. સુધી જશે, જેની કિંમત રૂ. 700થી રૂ. 10,000 સુધીની હશે. જિયો ફાઇબર પ્લાનમાં અગ્રણી ઓ.ટી.ટી. એપ્લિકેશનનું સબસ્ક્રિપ્શન સામેલ છે. ગ્રાહકોએ પોતાના ઘરેથી ભારતના કોઇપણ મોબાઇલ કે ફિક્સલાઇન ટેલિકોમ ઓપરેટરના નેટવર્ક પર વોઇસ કોલ કરવા માટે ક્યારેય કોઇ ચાર્જ ચૂકવવો નહીં પડે.

પ્રિમિયમ જિયો ફાઇબર ગ્રાહકો જે દિવસે થીએટરમાં ફિલ્મ રીલિઝ થશે તે જ દિવસે પોતાના ઘરે ટીવી પર ફિલ્મ જોઇ શકશે. આ જિયો ‘ફર્સ્ટ-ડે-ફર્સ્ટ-શો સેવા’ 2020ના મધ્ય સુધીમાંશરૂ કરવામાં આવશે. જિયો ફાઇબરના ‘જિયો-ફોરએવર’ પ્લાનમાં ગ્રાહકોને એચ.ડી. અથવા 4કે એલ.ઇ.ડી. ટીવી અને 4કે સેટ-અપ બોક્સ નિઃશુલ્ક આપવામાં આવશે, એમ તેમણેજણાવ્યું હતું.

આગામી 12 મહિનામાં જિયો સમગ્ર ભારતમાં વિશ્વનું સૌથી મોટું બ્લોકચેઇન નેટવર્ક સ્થાપિત કરશે જેમાં એક દિવસમાં હજારો નોડ ઉપલબ્ધ હશે.શ્રી મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ્સનો લગભગ 80 ટકા ખર્ચ ક્લાઉડ અને કનેક્ટિવિટીમાં થતો હોય છે, જિયો સ્ટાર્ટઅપ્સને નિઃશુલ્ક રીતે કનેક્ટિવિટી અને ક્લાઉડઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડીને આ ખર્ચ દૂર કરશે.

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો દર મહિને રૂ. 15,000 થી રૂ. 20,000 કનેક્ટિવિટી, પ્રોડક્ટિવિટી  અને ઓટોમેશન ટૂલ્સ પાછળ ખર્ચે છે, જિયો નાના ઉદ્યોગોને આ એપ્લિકેશન્સ સાથેકનેક્ટિવિટી દર મહિને માત્ર રૂ.1500માં પૂરી પાડશે, એમ તેમણે જણાવ્યું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની રીટેલ ક્ષેત્રની સહયોગી કંપની રિલાયન્સ રીટેલ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સ રીટેલ રૂ.1,30,000 કરોડના ટર્નઓવર સાથેભારતની સૌથી મોટી રીટેલર બની છે, જે તેના નિકટતમ હરીફ કરતાં ચારગણી મોટી છે અને બાકીના તમામ હરીફોના કુલ ટર્નઓવર કરતાં પણ મોટી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.