Western Times News

Gujarati News

અભ્યાસમાં ધ્યાન નહી આપતા 10 વર્ષના પુત્રને પિતાએ જીવતો સળગાવી દીધો

પ્રતિકાત્મક

નવી દિલ્હી, આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં એક પિતાએ પોતાના પુત્રને જીવતો સળગાવી દેવાની ઘટના સામે આવી છે. પોતાના 10 વર્ષના બાળકનો વાંક માત્ર એટલો હતો કે તે અભ્યાસમાં ધ્યાન નહોતો આપી રહ્યો.

હૈદરાબાદમાં એક વ્યક્તિએ પોતાના પુત્રને અભ્યાસમાં ધ્યાન નહી આપવાના કારણે નારાજ થઈને જીવતો સળગાવ્યો. આ જાણકારી પોલીસે સોમવારે આપી. પોલીસે જણાવ્યું કે, 10 વર્ષનો બાળક 60% દાઝી ગયો છે અને તેની સારવાર સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે.

પોલીસે જણાવ્યું કે, બાળકનો પિતા મજુર છે અને તે ઘટના બાદથી ફરાર છે. પોલીસે જણાવ્યું કે, બાળક દ્વારા અભ્યાસમાં પુરતું ધ્યાન નહી દેવાના કારણે આરોપીએ આ કૃત્ય કર્યું. આ ઘટના કુકટપલ્લી હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં થઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.