Western Times News

Gujarati News

હિન્દુઓની લાગણી દુભવવા બદલ સાયોની સામે ફરિયાદ

કોલકાતા, ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મેઘાલયના રાજ્યપાલ તથાગત રોયે બંગાળી અભિનેત્રી સાયોની ઘોષ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખરેખર, સાયોનીએ ટિ્‌વટર પર એક મીમ શેર કર્યું હતું. જેના પછી તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાયોની ઘોષ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ મીમથી હિન્દુઓની લાગણી દુભાય છે.
સયોની ઘોષે દાવો કર્યો છે કે મીમ ફેબ્રુઆરી ૨૦૧૫નું છે અને તેને તે શેર કર્યો નથી, પરંતુ કોઇ અન્યએ મજાક કરી લાગે છે. તેણે એમ પણ કહ્યું હતું કે તેનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે.

તથાગત રોયે કહ્યું, તમે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૫એ હેઠળ ગુનો કર્યો છે, હવે પરિણામ ભોગવવા તૈયાર થાઓ. ઘોષે ટિ્‌વટર પર કહ્યું, આ પોસ્ટ ફેબ્રુઆરી ૨૦૧૫ ની છે, જે મારા ધ્યાનમાં આવી છે, જે ખૂબ જ અપ્રિય છે. સયોની ઘોષે કહ્યું કે તે ૨૦૧૦ માં ટિ્‌વટર પર આવી હતી અને થોડા સમય પછી તેણે ટિ્‌વટરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું અને બાદમાં તેને ખબર પડી કે તેનું એકાઉન્ટ હેક થઈ ગયું છે. તેણે કહ્યું કે તે ફક્ત ૨૦૧૭ પછી જ તેનું એકાઉન્ટ પાછું મેળવી શકી.
સાયોની ઘોષે કહ્યું, મોટાભાગની પોસ્ટ્‌સ કાઢી નાખવામાં આવી હતી, પરંતુ કેટલીક બિન-આવશ્યક પોસ્ટ્‌સ અમારાથી બાકી રહી ગઇ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.