Western Times News

Gujarati News

મને જેલ ભેગી કરી દો,મરીને પણ મારી રાખ કહેશે હું તમને નહીં છોડું ઃ કંગના

મુંબઇ, દિગ્ગજ ગીતકાર જાવેદ અખ્તર દ્વારા કરવામાં આવેલા માનહાનિના કેસમાં અભિનેત્રી કંગના રનૌતની પેશી હતી. ગત દિવસે જુહુ મુંબઇ પોલીસે કંગનાને સમન્સ જારી કર્યુ હતુ અને પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. જાે કે, કંગનાએ તેના ટિ્‌વટર એકાઉન્ટ દ્વારા આ સમન પર આકરી પ્રતિક્રિયા આપી છે. કંગનાનું આ ટ્‌વીટ ખૂબ ચર્ચામાં છે.

કંગનાએ ટ્‌વીટ કર્યું હતું કે ‘આજે મને બીજાે સમન જારી કરવામાં આવ્યો છે. તમે બધા મને જેલમાં ધકેલી મુકો, મારું શોષણ કરો અને ૫૦૦ કેસ મારી પર કરી મને જેલના સળિયાની પાછળ તગેડી મુકો, મરીને પણ મારી રાખ કહેશે કે તમારા જેવા દરેક ‘વરુ’ઓને છોડીશ નહીં.

તમે જાણો છો, ડિસેમ્બર ૨૦૨૦ માં જાવેદ અખ્તરે કંગના સામે કોર્ટમાં માનહાનિનો દાવો કર્યો હતો. તેમણે મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં અભિનેતાની છબીને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટમાં જાવેદને કંગનાએ પોતાની જાત પર કરેલી ટિપ્પણીઓનું રેકોર્ડિંગ પણ સંભળાવ્યું હતું. જે બાદ કોર્ટે જુહુ પોલીસને ડિસેમ્બર ૨૦૨૦ માં આ મામલાની તપાસ કરવા અને ૧૬ જાન્યુઆરીએ રિપોર્ટ કરવા નિર્દેશ આપ્યો હતો. ૧૬ જાન્યુઆરીએ પોલીસે તપાસનો અહેવાલ રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો હતો, ત્યારબાદ કોર્ટે રિપોર્ટ આપવા માટે ૧ ફેબ્રુઆરી સુધીનો સમય વધાર્યો હતો. જાેકે, આ કેસમાં કંગનાને આજે જુહુ પોલીસ સમક્ષ હાજર થવું પડશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.