Western Times News

Gujarati News

AI-આધારિત ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી પ્લેટફોર્મ જારવીસ ઇન્વેસ્ટ ગુજરાતમાં ત્રણ નવી ઓફિસ શરૂ કરશે

જારવીસ ઇન્વેસ્ટને ગુજરાતમાં રોકાણકારો તરફથી સારા પ્રતિસાદની આશા. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં જુલાઇમાં ત્રણ નવી ઓફિસ શરૂ કરીને ફિઝિકલ ઉપસ્થિતિ વિસ્તારવાની યોજના

જારવીસ ઇન્વેસ્ટ માટે ગુજરાત 60,000 જેટલાં ક્લાયન્ટ્સ (75 ટકા ક્લાયન્ટ્સ) અને લગભગ 3000 પાર્ટનર્સ (27 ટકા પાર્ટનર્સ) સાથે ટોચના માર્કેટ્સ પૈકીનું એક જારવીસ ઇન્વેસ્ટને આગામી ચાર મહિનામાં ગુજરાતમાં 2500 પાર્ટનર્સ ઓન-બોર્ડ કરવાની અપેક્ષા

India’s first AI-based investment advisory platform JARVIS Invest to open three new offices in Gujarat

અમદાવાદ, ભારતના પ્રથમ એઆઇ-આધારિત ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી પ્લેટફોર્મ જારવીસ ઇન્વેસ્ટે આજે ગુજરાતમાં તેની ત્રણ નવી ઓફિસ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેથી ઝડપી વૃદ્ધિમાં સામેલ થઇ શકાય તથા રાજ્યના રૂચિ ધરાવતા રોકાણકારોના સમૂહનો લાભ લઇ શકાય. જારવીસે અમદાવાદ, રાજકોટ અને સુરતમાં તેની ઓફિસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કંપની આગામી ચાર મહિનામાં 2500થી વધુ પાર્ટનર્સનો ઓન-બોર્ડ કરવાની અપેક્ષા રાખે છે.

Sumit-Chanda-Founder-and-CEO

જારવીસ એક વિશિષ્ટ ઇન્ટેલિજન્ટ પોર્ટફોલિયો મેનેજમેન્ટ ટુલ છે, જેને રોકાણ, સંશોધન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં અનુભવી વ્યક્તિઓની ટીમ દ્વારા તૈયાર કરાયું છે. તે સ્ટોક સિલેક્શન અને એસેટ એલોકેશન મોડલ આધારિત તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને મહત્તમ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન ડિલિવર કરવાની ક્ષમતા ધરાવતા સ્ટોક્સનો પોર્ટફોલિયો ઓફર કરે છે.

જારવીસ ઇન્વેસ્ટની સ્થાપના ડિસેમ્બર 2016માં કરવામાં આવી હતી અને ત્યારથી તેણે વૃદ્ધિ સાધીને એપ્રિલ 2022 સુધીમાં 800 પાર્ટનર્સ સાથે 75,000થી વધુ ક્લાયન્ટ્સ ઓનબોર્ડ કર્યાં છે. વિશેષ કરીને ગુજરાતે તમામ પાર્ટનર્સમાં 27.53 ટકા તથા તમામ ક્લાયન્ટ્સમાં 74.63 ટકાની જબરદસ્ત વૃદ્ધિ હાંસલ કરી છે.

અમારા પાર્ટનર્સ અમારી સૌથી મોટી તાકાત છે અને પ્રત્યેક પાર્ટનર સરેરાશ 205 ક્લાયન્ટ્સ લાવે છે. કંપનીએ લગભગ 60,000 જેટલાં ક્લાયન્ટ્સ દૂર રહીને હસ્તગત કર્યાં છે ત્યારે જારવીસ ઇન્વેસ્ટ ગુજરાતમાં અપાર સંભાવનાઓને જોતાં લોકલ ઓફિસ દ્વારા આગામી ચાર મહિનાઓમાં તેના પાર્ટનરના આધારમાં 2500થી વધુનો વધારો થવાની અપેક્ષા રાખે છે.

આ અંગે પ્રતિક્રિયા આપતાં તેના સ્થાપક અને સીઇઓ સુમિત ચંદાએ કહ્યું હતું કે, “ગુજરાતના ત્રણ નવા શહેરોમાં અમારી ઉપસ્થિતિ વિસ્તારવાનો નિર્ણય અમારા વ્યવસાયની વૃદ્ધિની રણનીતિની દિશામાં તાર્કિક પગલું હતું. નાણાકીય સાક્ષરતા અને નવી ટેક્નોલોજીની સ્વિકાર્યતા ગુજરાતમાં હંમેશાથી વધુ રહી છે.

અમે જોયું છે કે ટેક-સવી રોકાણકારો અમારા એઆઇ-આધારિત ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી મોડલને અપનાવી રહ્યાં છે, જે તેમને અનુકૂળતા પ્રદાન કરે છે અને વળતર વધારે છે. અમે ગુજરાતમાં દૂરથી ઉપસ્થિતિ ધરાવતા હતાં ત્યારે ત્રણ નવી ફિઝિકલ ઓફિસ દ્વારા અમે લોકલ ટીમની રચના કરી શકીશું કે જેઓ માર્કેટને સારી રીતે સમજે છે

અને રોકાણકારોને સતત સેવા પ્રદાન કરશે. અમે નવા બિઝનેસના સંદર્ભમાં આ નવી ઓફિસ દ્વારા પ્રદાન થનારી નવી તકો અંગે આશાવાદી છીએ અને આ સ્થળો ઉપર વધુ લોકોની નિમણૂંક કરવાની આશા રાખીએ છીએ. ગુજરાત ઉપરાંત જારવીસ ઇન્વેસ્ટ મહારાષ્ટ્ર, કર્ણાટક અને પશ્ચિમ બંગાળામાં નજીકના ભવિષ્યમાં વિસ્તરણની યોજના ધરાવે છે.”

જારવીસ ઇન્વેસ્ટે એપ્રિલ 2022 સુધીમાં રૂ. 100 કરોડની એયુએમને પાર કરી છે. જારવીસ દ્વારા તૈયાર કરાયેલા પોર્ટફોલિયો વિવિધ પોર્ટફોલિયો કેટેગરીમાં સરેરાશ 50-80 ટકા વળતર આપે છે તથા તેણે નિફ્ટી કરતાં સારું પ્રદર્શન કર્યું છે. જારવીસ ઇનવેસ્ટની રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ (આરએમએસ) કાર્યક્ષમતાએ માર્ચ, 2020 અને જાન્યુઆરી 2022માં માર્કેટમાં ક્રેશની આગાહી કરી શકતી હતી, જેણે તેના રોકાણકારોને સિસ્ટમમાં જબરદસ્ત વિશ્વાસ આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.