ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો
ગાંધીનગર:ગાંધીનગરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક બાદ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10ની પરીક્ષા 5 માર્ચથી શરૂ થશે અને 17 માર્ચે પૂર્ણ થશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે એકેડમિક કેલેન્ડર જાહેર કરાયું છે. જે મુજબ માર્ચ 2020ની બોર્ડની પરીક્ષાઓ માર્ચથી શરૂ થશે.
નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણના કુલ 246 દિવસો રહેશે. જ્યારે 4મે થી ઉનાળુ વેકેશન શરૂ થશે. ધો. 9 અને 11 માટેની શાળાકીય વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી 18 એપ્રિલ દરમિયાન લેવાની રહેશે. શૈક્ષણિક વર્ષ 2019-20માં કુલ 80 રજાઓ રહેશે.જેમાં દિવાળી વેકેશનની 21, ઉનાળાની રજાઓ 35, જાહેર રજા 18 અને સ્થાનિક રજા 6 રહેશે. આમ આ બેઠક બાદ પરીક્ષા અંગેની બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે.
હવે બોર્ડની પકીક્ષાને ગણતરીના મહિનાઓ જ બાકી હોવાથી છાત્રો માટે પણ હવે ટાર્ગેટ નક્કી કરી તૈયારીઓ શરૂ કરવી પડશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક પૂરી બેઠકમાં પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું ધોરણ 10ના નવા 29 કેન્દ્રો નવા મજૂર કરવામાં આવ્યા ધોરણ 10ની પરીક્ષા 5 માર્ચ થી શરૂ થશે અને 17 માર્ચના રોજ પૂર્ણ થશે.
ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 5 માર્ચથી 16 માર્ચ સુધી જ્યારે સામાન્ય પ્રવાહની પરીક્ષા 5 માર્ચથી 21 માર્ચે પૂર્ણ થશે. ગત વર્ષ કરતા આ વર્ષે વહેલી પરીક્ષા લેવાઈ રહી છે. ગત વર્ષે 7મી માર્ચ પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ 10ના નવા 29 કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં બે અને સામાન્ય પ્રવાહમાં 11 નવા કેન્દ્રોને મજૂરી મળી છે.
ધોરણ 10 માં કુલ 10 લાખ 80 થી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપશે. ગત વર્ષ 11 લાખ 59 હજાર વિધાર્થીઓ પરીક્ષા આપી હતી. આ વર્ષ 80 હજાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આ જ પ્રકારે 12 સામાન્ય પ્રવાહ માટે 5 લાખ 24 હજાર 577 હાલ ઉમેદવારો ફોર્મ ભર્યા છે અને હજુ 2 જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે. આંશિક આંકડો હજુ 1 હજાર વિદ્યાર્થીઓ વધી શકે તેમ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ કુલ 1 લાખ 43 હજાર 405 છાત્રો પરીક્ષા આપશે. જેમાં એ ગ્રુપ ના 52 હજાર 163 વિદ્યાર્થીઓ, બી ગ્રુપ ના 91 હજાર 212 વિદ્યાર્થીઓ અને એ અને બી ગ્રુપ માં 30 વિધાર્થીઓ છે.