Western Times News

Gujarati News

પ્રથમ હાફમાં સેનેગલએ ટક્કર આપી ઇન્જરી ટાઇમમાં, સેનેગલના ઇબ્રાહિમ મ્બાયેએ ૯૦મી મિનિટે ગોલ કરીને ટીમની ખાધ ૨-૧ કરી દીધી ફ્રાન્સ,...

પતિ જીવતો રહેતાં પ્રેમીએ બ્લેડથી ગળું કાપી મોતને ઘાટ ઉતાર્યાે પહેલા અકસ્માત મોતનો ગુનો નોંધનાર પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળા પરના...

વડગામ તાલુકાના મજાદરમાં ગ્રામજનોએ જાણ કરતાં ફોરેસ્ટ વિભાગે હિટાચી મશીન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી વડગામ, વડગામના મજાદર ગામના તળાવમાં...

વડોદરામાં ભયાનક અકસ્માત ગંભીર અકસ્માતને પગલે પોલીસ, ફાયર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી રાજસ્થાનથી સુરત જતી...

કચ્છ વિસ્તારમાં રેલ સંપર્ક અને ક્ષમતા વિસ્તારને મળશે નવી દિશા બંને દિશાઓમાં પ્રતિદિન બે વધારાની યાત્રી રેલ સેવાઓના સંચાલનનો માર્ગ મોકળો થશે ડબલ લાઇનથી દર વર્ષે 12 મિલિયન ટન વધારાનું  માલ પરિવહન શક્ય બનશે, જેના કારણે લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક સંપર્કને મજબૂતી મળશે ભારતીય રેલવેએ ગુજરાતમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચરના મજબૂતીકરણ અને ક્ષમતા વૃદ્ધિ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા પશ્ચિમ રેલવેના આદિપુર–ભુજ રેલખંડ (49 કિ.મી.)ના ડબલિંગ કાર્યને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. મંડલ રેલ પ્રબંધક (DRM) અમદાવાદ શ્રી વેદ પ્રકાશે જણાવ્યું કે આ યોજના ભારતીય રેલવે દ્વારા નેટવર્ક ક્ષમતાના વિસ્તાર માટે ચલાવવામાં આવી રહેલા ડબલિંગ, ટ્રિપલિંગ અને અન્ય આધારભૂત સંરચના વિકાસ કાર્યક્રમો હેઠળ મંજૂર કરવામાં આવી છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ આ રેલખંડના ડબલિંગથી કચ્છ ક્ષેત્રમાં રેલ સંપર્ક અને સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તેમજ ભવિષ્યમાં યાત્રી અને માલ પરિવહનની વધતી માંગને પૂર્ણ કરવામાં મદદ મળશે. વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખી ક્ષમતા વિસ્તાર ગાંધીધામ–નલીયા કોરિડોર પર સ્થિત આદિપુર–ભુજ ખંડ હાલમાં સિંગલ રેલ લાઇન છે. ક્ષેત્રમાં  ચાલી રહેલી વિવિધ રેલવે યોજનાઓ પૂર્ણ થયા બાદ આ માર્ગ પર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. તેમાં ભુજ– નલીયા ગેજ પરિવર્તન, નલીયા–વાયોર લાઇન વિસ્તાર તેમજ નલીયા–જખાઉ, વાયોર–લખપત અને દેશલપર–લૂણા નવી રેલ લાઇન યોજનાઓનો સમાવેશ થાય છે. આ યોજનાઓ પૂર્ણ થયા પછી ભુજ–આદિપુર ખંડ પર વધારાના યાત્રી અને માલ ટ્રાફિકનું દબાણ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ રેલખંડના ડબલિંગને મંજૂરી આપવામાં આવી છે. આથી ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને પૂર્ણ કરવાની સાથે-સાથે સંચાલન કાર્યક્ષમતામાં સુધારો થશે. યાત્રી અને માલ પરિવહનને મળશે લાભ આ યોજના પૂર્ણ થયા બાદ બંને દિશામાં પ્રતિદિન બે વધારાની યાત્રી રેલ સેવાઓ શરૂ કરી શકાશે, જેના કારણે વિસ્તારના મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી અને પ્રવાસ સુવિધાઓ મળશે. ડબલ લાઇનના નિર્માણથી દર વર્ષે વધારાના 12 મિલિયન ટન (MTPA) માલ પરિવહન શક્ય બનશે, જેના કારણે પશ્ચિમ ગુજરાતમાં લોજિસ્ટિક્સ વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને ઔદ્યોગિક વિસ્તારોને વધુ સારો રેલ સંપર્ક પ્રાપ્ત થશે . ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ ક્ષમતા વિસ્તાર હાલમાં આ રેલખંડની લાઇન ક્ષમતા ઉપયોગિતા સતત વધી રહી છે અને વર્ષ 2029-30 સુધીમાં તે 123 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. તેથી સમયસર ક્ષમતા વિસ્તાર કરવો અત્યંત આવશ્યક બની ગયો છે. ડબલિંગ યોજના દ્વારા રેલ માર્ગ પરની ભીડમાં ઘટાડો થશે, સંચાલન સંબંધિત અવરોધો ઓછા થશે તેમજ ટ્રેન સેવાઓની સમયબદ્ધતા અને વિશ્વસનીયતામાં સુધારો થશે. આ યોજનાથી મુસાફર અને માલ પરિવહનમાં વૃદ્ધિ થવાથી ભારતીય રેલવેની આવકમાં પણ વધારો થશે તેમજ કચ્છ વિસ્તારના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે. આ યોજનાની મંજૂરી સાથે ભારતીય રેલવે ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ આધુનિક અને સક્ષમ રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા, સંપર્ક વધારવા તથા રાષ્ટ્રીય રેલ નેટવર્કની ક્ષમતામાં સતત વધારો કરવાની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી રહી છે.

યમ! બ્રાન્ડ્સનો મોટો નિર્ણય: મુખ્ય વૃદ્ધિ બ્રાન્ડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા પિઝા હટનું વેચાણ લૉન્ગરેન્જ કેપિટલને કર્યુ ન્યૂયોર્ક: વિશ્વની અગ્રણી...

અમેરિકાએ ફરી ભારતનું ટેન્શન વધાર્યું રશિયાથી ભારતની ક્‰ડ ઓઇલની આયાત મે મહિનામાં વધીને ૬.૭ બિલિયન ડોલર થઈ નવી દિલ્હી, ફ્રાન્સના...

બી-ડિવીઝન પોલીસ સ્ટેશન સામેના કવાર્ટરની ઘટના પાડોશી મહિલાએ દસ ટકા વ્યાજે રકમ આપ્યા બાદ અચાનક ર૦ ટકા વ્યાજ વસુલવાનું શરૂ...

અમદાવાદ મંડળે OHEની દેખરેખ માટે ડ્રોન ટેકનોલોજી અપનાવી, સુરક્ષાને મળશે નવી મજબૂતી AI-સક્ષમ હવાઈ નિરીક્ષણથી અવરોધ ઊભો કર્યા વિના ઓએચઈ...

"નોકરી શોધનાર નહીં, પણ નોકરી આપનાર બનો" ના મંત્રને સાર્થક કરતા આ કેન્દ્રથી અનેક યુવાનો આજે પોતાના નાના-મોટા ઉદ્યોગો સ્થાપી 'આત્મનિર્ભર' બન્યા જૂનના...

છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓની પહોંચ હવે વધુ ઝડપી અને સરળ બનશે *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું આદિજાતિ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ...

ટીબી મુક્ત ભારતના સંકલ્પ સાથે AMC દ્વારા ઓઢવ નારી સંરક્ષણ ગૃહ ખાતે યોજાયો સ્પેશિયલ ટીબી નિદાન કેમ્પ અમદાવાદ, દેશને ક્ષય...

કાયમી સભ્ય ન હોવા છતાં ભારત કેન્દ્ર સ્થાને દેખાયું.-ફોટોમાં પીએમ મોદીનું સ્થાન ભારતનું વધતું કદ દર્શાવે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના...

એસઆઇટી સતત બીજા દિવસે અયોધ્યા પહોંચી એસઆઇટી ૧૫ દિવસમાં તપાસ રિપોર્ટ સોંપશે, ટ્રસ્ટના સભ્યોની પણ પૂછપરછ થઇ શકે છે અયોધ્યા,અયોધ્યાના...

દેવું પાંચ વર્ષમાં બમણું થયું -CM વિજય સરકારે જાહેર કર્યું 'શ્વેત પત્ર': દર નવજાત બાળક પર 1.28 લાખનું દેવું ચેન્નાઈ,  તમિલનાડુના...

અમદાવાદ, પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે અને અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી...

અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપનો રમતગમત રાજ્ય મંત્રીશ્રી જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં શુભારંભ નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.