પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ-દાનાપુર અને સાબરમતી-હરિદ્વાર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનો

પ્રતિકાત્મક
પશ્ચિમ રેલવે દ્વારા આગામી હોળી ત્યોહાર અને ઉનાળાની મોસમને જોતાં, યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-દાનાપુર અને સાબરમતી-હરિદ્વાર વચ્ચે બે જોડી સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :
1. ટ્રેન નંબર 09417/09418 અમદાવાદ-દાના
ટ્રેન નંબર 09417 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ 10 માર્ચથી 31 માર્ચ 2025 સુધી દરેક સોમવારે અમદાવાદથી સવારે 09:10 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 20:30 કલાકે દાનાપુર પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09418 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ 11 માર્ચથી 01 એપ્રિલ 2025 સુધી દરેક મંગળવારે દાનાપુરથી રાત્રે 23:50 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસે 12:15 કલાકે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, ડકનિયા તળાવ, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, ભરતપુર, મથુરા, કાસગંજ, ફરૂખાબાદ, કાનપુર સેન્ટ્રલ, ફતેહપુર, પ્રયાગરાજ જં., મિર્જાપુર, પં. દીનદયાળ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ હશે.
2. ટ્રેન નંબર 09425/09426 સાબરમતી-હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ (14 ફેરા)
ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ 9,13,16,20,23,27 અને 30 માર્ચ 2025 (ગુરૂવાર અને રવિવાર)ના રોજ સાબરમતીથી 17:20 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 17.00 કલાકે હરિદ્વાર પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ 10,14,17,21,24,28 અને 31 માર્ચ 2025 (શુક્રવાર અને સોમવાર) ના રોજ હરિદ્વારથી 21:00 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 22:30 કલાકે સાબરમતી પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂરોડ, પિંડવાડા, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર(જયપુર), બાંદીકુઈ, અલવર, રેવાડી, ગુડગાંવ, દિલ્લી કેન્ટ, દિલ્લી, ગાજિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ હશે.
ટ્રેન નંબર 09417 અને 09425 નું બુકિંગ 7 માર્ચ, 2025 થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in