Western Times News

Gujarati News

અંકલેશ્વરમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી સ્થાનિકોમાં આક્રોશ

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરના વોર્ડ નંબર ચાર માં આવેલ તીર્થ નગર સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન કરાતા સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ જાેવા મળી રહ્યો છે.

હાલ સમગ્ર અંકલેશ્વર ની અંદર વરસાદના કારણે પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી હોય તેવું લાગી રહ્યુ છે.

સમગ્ર અંકલેશ્વર ની અંદર ઉભરાતી ગટરો તથા રોડ-રસ્તાઓ ને લઈને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.અંકલેશ્વરના વોર્ડ નંબર ચાર માં આવેલ તીર્થ નગર સોસાયટીના સ્થાનિકોના જણાવ્યા અનુસાર વરસાદી પાણીનો નિકાલ ન આવતા પાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી.

છતાં પણ પાલિકાના સત્તાધીશો કોઈપણ પ્રકારની કામગીરી ના કરતા હોય તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.ઉભરાતી ગટરોને લઈને અને વરસાદી કાસના પાણી નો નિકાલ ના આવતા છેવટે તીર્થ નગરના સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વહેલા તકે અંકલેશ્વર નગરપાલિકા વરસાદી પાણીનો નિકાલ અને ઉભરાતી ગટરનો નિકાલ લાવે તેવી સ્થાનિકોએ રજૂઆતો કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.