અગાઉના ખૂનની અદાવતમાં ભાવનગરમાં પોલીસ પુત્રની હત્યા થઈ : ત્રણ સામે ગુનો

ભાવનગરમાં મહિલા પોલીસકર્મીના પુત્રની નિર્મમ હત્યા કરવામાં આવી હતી
મૃતક પોતે અગાઉના ખૂન કેસનો આરોપી હતો અને આજીવન કેદની સજા પડી હતી અને હાલ જામીન પર મુક્ત હોવાનું સામે આવ્યું છે
ભાવનગર, ભાવનગરમાં મહિલા પોલીસ પુત્રની થયેલી હત્યા કેસમાં ત્રણ આરોપી સામે ગુનો દાખલ થયો છે. આ હત્યા અગાઉ થયેલા ખૂનનો બદલો લેવાની અદાવતમાં થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક પોતે અગાઉના ખૂન કેસનો આરોપી હતો અને આજીવન કેદની સજા પડી હતી અને હાલ જામીન પર મુક્ત હોવાનું સામે આવ્યું છે.ભાવનગરમાં મહિલા પોલીસકર્મીના પુત્રની નિર્મમ હત્યા કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૮માં રેખાબેનના પુત્ર કેવલ અને તેમના અન્ય સગાઓનો માલધારી સોસાયટીમાપં રહેતા કરશન ઉર્ફે ભાણો સાટીયા સાથે ઝઘડો થયો હતો.
આ ઝઘડામાં કરશનને ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ થયું હતું. કોર્ટે કેવલને આ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. છેલ્લા અઢી વર્ષથી કેવલ અપીલ દરમિયાન જામીન પર મુક્ત હતો. તાજેતરમાં અગાઉના મૃતક કરશનના ભાઈ અર્જુન સાટીયા, ભરત ખીમાભાઈ સાટીયા અને ભાર્ગવ ઉર્ફે ભરત પાતાભાઈ સાટીયાએ બદલો લેવા કેવલને ગળા અને પેટના ભાગે છરીના ઘા માર્યા હતા. આ હુમલામાં કેવલનું મૃત્યુ થયું. SS1