અનૈતિક સબંધોની શંકાએ નિવૃત્ત જવાને ચારની હત્યા કરી

Files Photo
ગુરૂગ્રામ, વ્યક્તિ ગુસ્સામાં ક્યારે શેતાન બની જાય કહેવાય નહીં. સેના જેવા સૌથી અનુશાસિત ક્ષેત્રમાં કામ કરી ચૂકેલો એક રિટાયર્ડ આર્મીમેન પણ ગુસ્સામાં કસાઈ બની ગયો અને ત્રણ વર્ષની બાળકી પર પણ તેણે ધારદાર હથિયારથી હુમલો કર્યો, પરંતુ તે બચી ગઈ. કાળજુ કંપાવી દેતી આ ઘટનામાં ચાર લોકોનાં મોત થઈ ગયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી એક મહિલાની ધરપકડ કરી છે. જેના પર રિટાયર્ડ આર્મી મેનને સાથ આપવાની શંકા છે. અનૈતિક સંબંધની શંકામાં આર્મી મેને આ કાંડ કર્યો હતો.
આ ઘટના ગુરૂગ્રામના રાજેન્દ્ર પાર્ક વિસ્તારની છે. કે જ્યાં રાવ રાય સાહેબ નામનો એક રિટાયર્ડ આર્મીમેન તેના પરિવાર સાથે રહે છે. તેણે તેનું મકાન ભાડે પણ આપ્યું હતું. ભાડૂઆત કૃષ્ણા તિવારી તેની પત્ની અને બે બાળકીઓ સાથે તેના મકાનમાં રહેતા હતા. સોમવારે રાતે આર્મી મેને અનૈતિક સબંધોની શંકાથી અત્યંત ઘાતક પગલું ભર્યું હતું. તેણે ભાડૂઆતના આખા પરિવાર સહિત પોતાની પુત્રવધુ પર ધારદાર હથિયારથી હુમલો કરી દીધો. કૃષ્ણા તિવારીની પત્ની અનામિક તિવારી અને તેની નવ વર્ષની દીકરી પર આર્મીમેને હથિયારથી હુમલો કરતા તેઓનાં ઘટના સ્થળે જ મોત થયા હતા.
જ્યારે સદનસીબે નાની દીકરી બચી ગઈ છે. હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ તેની સ્થિતિ ગંભીર છે. તે હાલ મોત સામે જંગ લડી રહી છે. આર્મી મેન આ તમામ લોકોની હત્યા કરીને પોલીસ સ્ટેશન પહોંચ્યો. રાજેન્દ્ર પાર્ક પોલીસ સ્ટેશનમાં જઈને આર્મી મેને પોતાની હેવાનિયતની વાત કરી. તેણે પોલીસ સમક્ષ કબૂલ કર્યુ કે પોતાની પુત્રવધુ સહિત ભાડૂઆતના આખા પરિવારની હત્યા કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળે જઈને જ્યારે પોલીસે જાેયું તો તેમના પણ હોંશ ઉડી ગયા. ઘરમાં લોહીથી લથપત લાશો પડી હતી અને ચારેકોર લોહીના ડાઘા હતા. પોલીસે આ મામલે એક મહિલાની પણ ધરપકડ કરી છે. મહિલા પર આર્મી મેનને સાથ આપવાની શંકા છે. તો આરોપી આર્મીમેન પણ પોલીસ કસ્ટડીમાં છે.SSS