Western Times News

Gujarati News

અફઘાનમાં અમે શાસન ચલાવી બતાવીશુંઃ તાલિબાન

કાબુલ, આતંકની સત્તા સ્થાયી નથી રહેતી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ શબ્દોએ બંદૂકની અણીએ અફઘાનિસ્તાનની સત્તા કબજે કરનાર તાલિબાનને હચમચાવી દીધા છે. આ શબ્દોને પડકાર તરીકે લેતા તાલિબાનોએ દાવો કર્યો છે કે તેઓ સફળ થશે. પીએમ મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા આતંકવાદી સંગઠનના અગ્રણી નેતા શહાબુદ્દીન દિલાવારે કહ્યું કે ભારત ટૂંક સમયમાં જાેશે કે તાલિબાન દેશને યોગ્ય રીતે ચલાવી શકે છે. તમને જણાવી દઈએ કે સોમનાથ મંદિર સાથે જાેડાયેલા ઘણા વિકાસ કામોનું ઉદ્‌ઘાટન કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદીએ તાલિબાનનો ઉલ્લેખ કર્યા વગર આ કહ્યું હતું. ડ્ઢટ્ઠુહ માં છપાયેલા સમાચાર અનુસાર તાલિબાન નેતાએ રેડિયો પાકિસ્તાનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતને ટૂંક સમયમાં જ અમારી દેશને ચલાવવાની ક્ષમતા વિશે ખબર પડી જશે.

આ સાથે જ તેમણે ભારતને અફઘાનિસ્તાનની આંતરિક બાબતોમાં દખલ ન કરવાની ચેતવણી પણ આપી હતી. પાકિસ્તાનને મૈત્રીપૂર્ણ દેશ ગણાવતા શહાબુદ્દીન દિલાવરે ૩૦ લાખથી વધુ અફઘાનોને આશ્રય આપવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે તાલિબાન દરેક દેશ સાથે શાંતિપૂર્ણ અને સહિયારા આદરનો સંબંધ ઈચ્છે છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ભગવાન સોમનાથનું મંદિર આજે ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે એક વિશ્વાસ છે. જે નાશ કરનારી શક્તિઓ છે, જે આતંકના આધારે શક્તિ બતાવવાનું વિચાર છે, તે ચોક્કસ સમયગાળામાં અમુક સમય માટે પ્રભુત્વ ધરાવી શકે છે, પરંતુ તેનું અસ્તિત્વ ક્યારેય અસ્થાઈ હોતું નથી. તે લાંબા સમય સુધી માનવતાને દબાવી શકતા નથી. પીએમના આ નિવેદનને અફઘાનિસ્તાન સાથે જાેડીને જાેવામાં આવ્યું હતું. તાલિબાનના પ્રવક્તા જૈબુલ્લા મુજાહિદે પાકિસ્તાનને પોતાનું બીજું ઘર ગણાવ્યું છે.

પાકિસ્તાની ન્યુઝ ચેનલ એઆરવાય ન્યુઝને આપેલા ઇન્ટરવ્યૂમાં તાલિબાની પ્રવક્તા મુજાહિદે કહ્યું કે પાકિસ્તાનને અડીને અફઘાનિસ્તાનની સીમાઓ છે. જ્યારે ધર્મની વાત આવે છે તો અમે પરંપરાગત રીતે એકબીજા સાથે જાેડાઈ જઈએ છીએ. બંને દેશોના લોકો એકબીજામાં ભળી જાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.