Western Times News

Gujarati News

અમદાવાદના કાલુપુર પાસે બીઆરટીએસ બસ ભડકે બળી, સદનસીબે જાનહાનિ ટળી

અમદાવાદ,
સવારના રોજ કાલુપુર પાસે બસ નં. ત્ન૫૫ ભાડજથી નરોડા ગામે ચાલતી બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટના બની હતી. અચાનક બસની અંદર સ્પાર્ક થતા આગે રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઇ જાનહાનિ નહોતી થઇ.

સવારે બીઆરટીએસની બસ ઓન રૂટ હતી. તે દરમ્યાન પ્રેમ દરવાજાથી કાલુપુર તરફ જતા સમયે બસમાં પાછળના ભાગે સ્પાર્ક થયાનું જણાતા અને ધુમાડો નીકળવા માંડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે બસ અંદર ૧૦ જેટલા પેસેન્જર હતા. જે લોકોને ડ્રાઇવર દ્વારા સમય સૂચકતા વાપરીને બહાર કાઢી લેવાયા હતા.
બીઆરટીએસ બસની અંદર મોજુદ અગ્નિશામકથી આગ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી હતી.

પરંતુ આગ કાબુમાં ન આવતા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને છેવટે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આગ કેવી રીતે લાગી તેની વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.