અમદાવાદમાં હોસ્પિટલમાં આગ દૂર્ઘટના તપાસ અંગે બે ઉચ્ચ સચિવોને તપાસ સોંપતા મુખ્યમંત્રી
૩ દિવસમાં તપાસ અહેવાલ રાજ્ય સરકારને આપવા આદેશ : ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી સમગ્ર ઘટનાની તપાસ કરશે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇ.એ.એસ અધિકારી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતાસિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે