અમરાઈવાડીમાં ત્રણ માળનું મકાન ધરાશયીઃ 2ના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/09/Amaraivadi011-1024x683.jpg)
અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા બંગલાવાળી ચાલીમાં આશરે 100 વર્ષ જૂનું મકાન ગુરુવારે બપોરે એકાએક ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 75 વર્ષીય વિમળાબેન અને 36 વર્ષીય આશા બેન નું મોત નિપજ્યું છે. જનતાનગર ટોરેન્ટ પાવર સામે આવેલું ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં 10 લોકો દટાયા હતા તે પૈકી 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હજુ અન્ય વ્યક્તિઓ કાટમાળમાં ફસાયેલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દુર્ઘટનાને પગલે આસપાસના લોકો દોડી જતા ટોળેટોળા વળ્યા છે. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમો દોડી ગઈ છે. અમરાઈવાડી પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈને ભીડ પર કાબૂ મેળવી હતી. યુધ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઈ છે.બચાવ કામગીરીમાં સ્થાનિકો પણ ફાયરની ટીમ સાથે જોડાયા છે.