અમરાપુરા પાસે કાર પુલિયામાં ખાબકી: ચાલકનો આબાદ બચાવ
અમરાપુરા પાસે અને સંતરોડ સાલીયા પાસે અકસ્માતની બે ઘટનાઓ બની
ગોધરા, અમદાવાદ ઇન્દોર હાઇ-વે ઉપર અકસ્માતની બે ઘટનાઓ બની હતી . જેમાં મોરવા હડફ સંતરોડ સાલીયા પાસે ખાનગી લકઝરી બસના ચાલકે એક્ટિવાને અડફ્ટે લેતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું અને એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે .
અકસ્માતની બીજી ઘટનામાં ગોધરા તાલુકાના અમરાપુરા પાસે કાર પુલિયામાં ખાબકી હતી દરમિયાન કાર ને ભારે નુકશાન થવા સાથે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
આ ઘટના ચાલકે સ્ટિયરિંગનો કાબુ ગુમાવતા સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું . ગોધરા તાલુકાના કુંડલા ગામે રહેતા શનાભાઈ પટેલ અને મંગળસિંહ બારીયા બંને એક્ટિવા લઈ મોરવા હડફ સાલીયા સંતરોડ ખાતે પોતાના સંબંધીના ઘરે ગયા હતા.
દરમિયાન તેઓ એક્ટિવા લઈ હાઇ-વે ઉપર સાલીયા નજીકથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન દાહોદ તરફ્થી પુરઝડપે આવી રહેલી ખાનગી લકઝરી બસના ચાલકે એક્ટિવાને અડફ્ટે લેતાં જ એક્ટિવા સવાર બંને માર્ગ ઉપર પટકાતા શરીરે ઈજાઓ પહોંચી હતી.
દરમિયાન શના વીરા પટેલનું ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું
જ્યારે મંગળસિંહ ગેમાભાઈ બારીયાને ઈજાઓ પહોંચતા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . અકસ્માતની બીજી ઘટના ગોધરા અમદાવાદ હાઇ-વે ઉપર આવેલા અમરાપુરા પાસે બની હતી.
જેમાં મધ્યપ્રદેશથી કચ્છ કાર લઈ જઈ રહેલા કાર ચાલકે સ્ટિયરિંગનો કાબુ ગુમાવતાં કાર હાઇવે ઉપર આવેલા પુલિયાની વચ્ચેના ભાગમાં ખાબકી હતી.કાર અંદાજીત વીસ ફૂટ ઉંડાઇમાં ખાબકતા કાર ને ભારે નુકશાન થયું હતું પરંતુ કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો . તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા