અમરેલીમાં નપાના સસ્પેન્ડેડ ક્લાર્કે આપઘાત કરી લીધો
અમરેલી, અમરેલી જિલ્લામાં નગરપાલિકાના સસ્પેન્ડેડ ક્લાર્કે આપઘાત કરી લીધો છે. સસ્પેન્ડેડ ક્લાર્ક પંકજ જાેશીએ પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. જેને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
સસ્પેન્ડેડ ક્લાર્ક પંકજ જાેશી છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં હતા. થોડા સમય પહેલા કંસ્ટ્રક્શન કંપનીની ડિપોઝિટ ગેરકાયદેસર રીલિઝ કરવાનો આરોપ પંકજ જાેશી પર મૂકવામાં આવ્યો હતો તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.
જેને લઈ તેઓ ઘણા સમયથી વિવાદમાં સંકળાયેલા હતા. જે બાદ આવેશમાં આવીને તેમણે આપઘાત કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. તો પંકજ જાેશીનાં આપઘાતનાં પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો. ત્યાર બાદ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.HS