અમૃતસરમાં ઇમરાન અને સિદ્ધુના ફોટા સાથેનાં પોસ્ટર લાગ્યાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/11/Amritsar.jpg)
અમૃતસર, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને ભારતના ક્રિકેટર કમ પોલિટિશ્યન નવજોત સિંઘ સિદ્ધુને સાથે દેખાડતાં પોસ્ટર્સ અમૃતસરમાં સિદ્ધુના સમર્થકોએ લગાડ્યા હતા.ઇમરાન ખાને નવમી નવેંબરે પોતે જેનું ઉદ્ઘાટન કરવાના છે એ કરતારપુર કોરિડોરમાં સિદ્દુને આમંત્રિત કર્યો છે. અગાઉ વડા પ્રધાન તરીકેના પોતાના સોગંદવિધિમાં પણ ઇમરાન ખાને સિદ્ધુને નોતર્યો હતો જ્યાં સિદ્ધુ પાકિસ્તાની લશ્કરના વડા બાજવાને ભેટ્યો હતો. આ વાતે ભારતમાં જોરદાર વિવાદ સર્જાયો હતો.
હવે ઇમરાને સિદ્ધુને કરતારપુર કોરિડોર નોતર્યો છે એ નિમિત્તે અમૃતસરમાં સિદ્ધુ અને ઇમરાનને સાથે દેખાડતાં પોસ્ટર્સ લાગ્યાં હતાં.વહીવટી તંત્રે એ પોસ્ટર્સ ઊતરાવી લીધાં હતાં.આ પોસ્ટર્સમાં કરતારપુર કોરિડોરની સ્થાપનાનો યશ સિદ્ધુને આપવામાં આવ્યો હતો. પોસ્ટર્સમાં લખ્યું હતું કે સિદ્ધુના પ્રયાસોથી કરતારપુર કોરિડોર શક્ય બની હતી.