Western Times News

Gujarati News

અમેઠીમાં દલિત સરપંચના પતિને જીવતા સળગાવવામાં આવ્યા

અમેઠી, ઉતરપ્રદેશમાં વધુ એક ચોંકાવનારી હત્યા પ્રકાશમાં આવી છે. અમેઠીમાં ગુરુવારે રાતે દલિત સરપંચના પતિને કીડનેપ કરીને જીવતા સળગાવવામાં આવ્યા છે. રાતે તેઓ અડધી સળગેલી હાલતમાં મળ્યાં હતા. લખનઉમાં ટ્રોમા સેન્ટર લઈ જતી વખતે તેમનું મોત થયું. હત્યા પછી ગામમાં તણાવ છે અને પોલીસ તહેનાત કરવામાં આવી છે.

અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીએ આ મામલામાં દખલ કરી છે અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે કહ્યું છે. તે પછી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે ઘટના મુંશીગંજના બંદોઈયા ગામની છે. અહીં સરપંચ છોટકાના પતિ અર્જુન(40) ગુરુવારે સવારે ઘરેથી નીકળ્યા હતા. પરિવારનો આરોપ છે કે ગામના જ કે કે તિવારી, આશુતોષ, રાજેશ મિશ્રા, રવિ અને સંતોષે તેમને કિડનેપ કર્યા હતા.

અર્જુન ઘરે પરત ન ફરતા તેમના પુત્ર સુરેન્દ્રએ પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવી. રાતે લગભગ સાડા દસ વાગ્યે અર્જુન ગ્રામીણ કૃષ્ણ કુમારના મેદાનમાંથી અડધી સળગેલી હાલતમાં મળ્યા. તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને આજે સવારે તેમને લખનઉના ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા. રસ્તામાં જ તેમનું મોત થયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.