અમે કોરોના અને કરીના બંને સાથે ડીલ કરી : આમિર
મુંબઈ: આમિર ખાન અને કરીના કપૂર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં સાથે જાેવા મળવાના છે. આ ફિલ્મ ક્રિસમસ ૨૦૨૦ પર રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે તેનું શૂટિંગ થઈ શક્યું નહીં અને તેને એક વર્ષ માટે ટાળી દેવાઈ. હવે આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગને લઈને એક ઈન્ટરવ્યૂમાં વાત કરી છે. આમિર ખાને ઈન્ટરવ્યૂમાં લાલ સિંહ ચઢ્ઢાને લઈને અપડેટ આપી.
આ દરમિયાન તેણે મજાક કરતાં કહ્યું કે, આખી દુનિયા કોરોન મહામારી સામે લડી રહી હતી, ત્યારે લાલ સિંહ ચઢ્ઢાને કોરોનાની સાથે-સાથે પ્રેગ્નેન્ટ કરીના કપૂર સાથે પણ ડીલ કરવી પડી. આમિર ખાને કહ્યું કે, જાે તમે ફોરેસ્ટ ગમ્પ જાેઈ હશે, તો તમને યાદ હશે કે ફિલ્મની શરુઆત પીંછા સાથે થાય છે. તે પીંછુ આકાશમાંથી નીચે ઉડતા-ઉડતા આવે છે, પછી લોકોના ખભા પર બેસે છે.
હવા તે પીંછાને અહીંયા-ત્યાં ફેરવે છે. તો હું અને અદ્ધેત (ચંદન), જે ફિલ્મના ડિરેક્ટર છે, અમે આ વિશે મજાક કરતાં હતા કે, જ્યારથી અમે આ ફિલ્મ હાથમાં લીધી છે ત્યારથી જીવન પીંછા જેવું થઈ ગયું છે. હવા આપણે અલગ-અલગ દિશામાં ધકેલી રહી છે અને આપણે એક રીતે તેની સાથે વહી રહ્યા છીએ.
આમિરે આગળ કહ્યું કે, અમે તે શોધી રહ્યા હતા કે, આખરે લેન્ડ ક્યાં થઈશું? કારણ કે આખી દુનિયા જ્યાં એક તરફ કોરોના સામે લડી રહી હતી, ત્યારે અમે કોરોનાની સાથે-સાથે ફિલ્મની હીરોઈન કરીના સાથે પણ ડીલ કરી રહ્યા હતા. કારણ કે પ્રેગ્નેન્ટ થઈ હતી. વધુ એક કોમ્પ્લિકેશન. હવાએ અમને બીજી દિશામાં ધકેલી દીધા. તેથી અમે જાેઈ રહ્યા છીએ કે, ક્યાં લેન્ડ થઈ છીએ. પરંતુ અત્યાર માટે વસ્તુ ઠીક ચાલી રહી છે અને કંટ્રોલમાં છે. આશા કે વર્ષના અંત સુધીમાં આપણને ફિલ્મ જાેવા મળી જશે.