અમે ૯૦ના દાયકાથી કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરેન્સની નીતિ પર લડી રહ્યા છીએઃ શાહ

પહેલગામ હત્યાકાંડનો મોદી સરકાર બદલો લેશે
આતંકીઓને શોધી શોધીને મારીશુંઃ અમિત શાહ
નવી દિલ્હી,
ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે પહેલગામ હુમલાનો બદલો લેવામાં આવશે. આ નરેન્દ્ર મોદીનું ભારત છે. પહેલગામ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા સખ્તાઈભર્યા પગલાં લીધાં છે.અમિત શાહે કહ્યું, ‘આજે કોઈ એવું ન વિચારતા કે આપણા ૨૭ લોકોને મારીને તેમણે આ યુદ્ધ જીતી લીધું છે.’ હું તેમને કહેવા માંગુ છું કે દરેક વ્યક્તિને જડબાતોડ જવાબ મળશે. જવાબ લેવામાં પણ આવશે. ‘જો કોઈ કાયર હુમલો કરીને એવું વિચારતો હોય કે આ તેમની જીત છે તો સમજી લેશો. એક એકને વીણી વીણીને મારીશું. આ નરેન્દ્ર મોદીનું ભારત છે. આજે દુનિયાના તમામ દેશો ભારતની સાથે ઉભા છે’
ગૃહમંત્રીએ કહ્યું, ‘આજે ફરી એકવાર હું આ સંકલ્પને યાદ કરાવવા માંગુ છું કે આતંકવાદ સામેની આપણી લડાઈ ચાલુ રહેશે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, પછી ભલે તે ડાબેરી ઉગ્રવાદ હોય કે કાશ્મીર મુદ્દો, જો કોઈ કાયરતાપૂર્ણ કૃત્ય કરશે તો તે કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.અમિત શાહે કહ્યું કે ભારતની એક એક ઈંચ જમીન પરથી આતંકવાદનો નાશ કરીશું. આતંકવાદ સામે વિશ્વના તમામ દેશો એક થયા છે અને ભારતની સાથે ઉભા છે. આતંકવાદનો અંત ન આવે ત્યાં સુધી તેમને સજા આપવામાં આવશે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ સતત કડક નિર્ણયો લઈ રહ્યું છે. સરકારે બુધવારે પાકિસ્તાની વિમાનો માટે હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો નિર્ણય લીધો. હુમલાના બીજા દિવસે અર્થાત્ ૨૩ એપ્રિલે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પહલગામ આતંકવાદી હુમલામાં સામેલ કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. અમે બધા હુમલાખોરોને એક પછી એક મારી નાખીશું. આતંકવાદીઓ પ્રત્યે અમારી નીતિ શૂન્ય સહિષ્ણુતાની છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓને ચેતવણી આપી છે કે તેઓ એવું ન વિચારે કે તેમણે યુદ્ધ જીતી લીધું છે. તેમણે કહ્યું, જો કોઈ કાયર હુમલો કરે છે અને તેને પોતાની મોટી જીત માને છે, તો એક વાત સમજો, આ નરેન્દ્ર મોદીની સરકાર છે, કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. અમારો સંકલ્પ આ દેશના ખૂણે ખૂણેથી આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવાનો છે અને આ સિદ્ધ થશે. આ લડાઈમાં માત્ર ૧૪૦ કરોડ ભારતીયો જ નહીં પરંતુ આખું વિશ્વ ભારતની સાથે ઊભું છે. આજે, તેઓએ એવું ન વિચારવું જોઈએ કે તેમણે આપણા નાગરિકોના જીવ લઈને યુદ્ધ જીતી લીધું છે. હું આતંક ફેલાવનારા બધાને કહેવા માંગુ છું કે આ લડાઈનો અંત નથી દરેક વ્યક્તિને યોગ્ય જવાબ આપવામાં આવશે.