અરવલ્લી ૩૧૦૭૧ બાળકોને ઘર આંગણે મળી રહી છે જ્ઞાન ગંગા

જિલ્લાની ૨૬૨ માધ્યમિક શાળાના વિધાર્થીઓને હોમ લર્નિંગ થકી અભ્યાસ કરાવાય છે
કોરોનાના મહામારીના કારણે વિધાર્થીઓ કોરોનાના સંક્રમણનો ભોગ ન બને તે માટે સમગ્ર રાજયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો જેમાં અરવલ્લીની ૨૬૨ શાળાઓનો પણ સમાવેશ થાય છે આ શાળાઓને ઘરે બેઠા શિક્ષણ મળી રહે તે માટે હોમ લર્નિગ થકી શિક્ષણની વ્યવસ્થા ઉભી કરાઇ છે. જેમાં અરવલ્લીના ૩૧૦૭૧ વિધાર્થીઓને ઘર આંગણે જ્ઞાન ગંગા મળી રહી છે
સમગ્ર રાજયમાં ૮ જૂનથી વિધાર્થીઓની હાજરી સિવાય શાળાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં લોકડાઉનના સમયગાળા દરમિયાન ધો-૧૦ અને ૧૨ ની માર્ચ-૨૦૨૦ પરીક્ષાના પ્રશ્નપત્રોની ચકાસણીનું કામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો દ્વારા કામગીરી કરાઇને પરીણામ બાદ વિધાર્થીઓના શિક્ષણ કાર્યને માઠી અસર ન થાય તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિધાર્થીઓને ડી.ડી ગિરનાર અન. વંદે ગુજરાત ચેનલ મારફતે હોમ લર્નિગનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં જિલ્લાની ભિલોડા તાલુકાની ૭૪ શાળાના ૮૬૦૯ વિધાર્થીઓ, મોડાસાની ૫૯ શાળાના ૮૬૩૧, મેઘરજની ૪૫ શાળાના ૨૯૦૪, બાયડની ૪૬ શાળાના ૬૦૯૩, ધનસુરાની ૧૪ શાળાના ૨૨૧૯ અને માલપુરની ૨૪ શાળાના ૨૬૧૫ વિધાર્થીઓ મળી કુલ- ૨૬૨ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ધો ૯ થી ૧૨ના ૩૧૦૭૧ વિધાર્થીઓએ હોમ લર્નિંગ અભ્યાસનો લાભ લઇ રહ્યા છે.