અલીગઢ બનશે ‘હરિગઢ’, મૈનપુરીનું પણ બદલાશે નામ
લખનૈૌ, ઉત્તરપ્રદેશમાં જિલ્લા પંચાયતની સત્તા બદલાયા બાન નામ બદલવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. અલીગઢ જિલ્લાનું નામ હરિગઢ રાખવામાં આવશે. જેનો પ્રસ્તાવ પણ પાસ કરી દેવામાં આવ્યો છે. સાથેજ મૈનપુરીનું નામ મયન ઋષિ રાખવામાં આવશે. તેના માટેનો પ્રસ્તાવ પણ જિલ્લા પંચાયતમાં પાસ કરી દેવામાં આવ્યો છે.
જિલ્લા પંચાયતની બેઠક થઈ હતી. જે બેઠકમાં અલીગઢનું નામ હરિગઢ રાખવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો. આ પ્રસ્તાવ સર્વસંમતી સાથે પાસ કરવામાં આવ્યો સાથે મૈનપુરી જિલ્લાનું નામ પણ બદલવાનો પ્રસ્તાવ સર્વસંમતિ સાથે પાસ કરવામાં આવ્યો છે.
આ બેઠકમાં જ્યારે મૈનપુરી જિલ્લાનું નામ બદલવાની વાત કરવામાં આવી ત્યારે જિલ્લા પંચાયતના અમુક સદસ્યોએ વિરોધ પણ કર્યો હતો. જાેકે બહુમત મળ્યા પછી જિલ્લા પંચાયતની અધ્યક્ષ અર્ચના ભદોરિયાએ મૈનપુરીનું નામ મયન નગર રાખવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. જિલ્લા પંચાયત દ્વારા જે પણ પ્રસ્તાવો પાસ કરવામાં આવ્યા છે. તેને હવે સરકારને મોકલવામાં આવશે. જ્યા અંતિમ ર્નિણય લેવાશે કે નામ બદલવું જાેઈએ કે નહી. ઉલ્લેખનીય છે કે મૈનપુરી જિલ્લા પંચાયત અધ્યક્ષની સીટ પહેલી વાર ભાજપ પાસે આવી છે. અત્યાર સુધી આ સીટ સપાના કબ્જામાં હતી. પરંતુ આ વખતે સીટ ભાજપના હાથમાં આવી છે.HS