Western Times News

Gujarati News

અવાવરૂ કૂવામાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો

ગોધરાના વિશ્વકર્મા ચોક વિસ્તાર માં અવાવરૂ કૂવામાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો 

હોસ્પિટલમાંથી નીકળી ગયા બાદ પરત નહીં ફરતાં પોલીસ મથકે જાણ કરાઈ હતી.

ગોધરા,
ગોધરા શહેરના વિશ્વકર્મા ચોક વિસ્તારમાં આવેલા જુના કોંગ્રેસ કાર્યાલય અને દેસાઈ ખડકી માં આવેલા અવાવરૂ કૂવામાં આધેડનો મૃતદેહ પડ્યો હોવાની પોલીસને જાણ થતાં નગરપાલિકા ફાયરબ્રિગેડ ટીમની મદદથી  કુવામાંથી રેસ્ક્યુ કરી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો .

ગોધરા વિશ્વકર્મા ચોક વિસ્તારમાં આવેલી જૂની કોંગ્રેસ કાર્યાલય બિલ્ડીંગમાં આવેલા અવાવરૂ કૂવામાં એક આધેડવયના પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની ગોધરા શહેર એ ડીવીઝન પોલીસને જાણકારી મળી હતી . જે આધારે ગોધરા એ ડીવીઝન અને એસઓજી પીઆઇ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગોધરા નગરપાલિકા ફાયરબ્રિગેડ ટીમને બોલાવી રેસ્ક્યુ કરી મૃતદેહ કુવા માંથી બહાર કાઢ્યો હતો .

કુવા માંથી મળી આવેલો મૃતદેહ વીસ દિવસ ઉપરાંતનો હોવાથી ડીકમ્પોઝ થયેલી હાલતમાં હતો . વીસ દિવસ પૂર્વે ગોધરા સિવિલ હોસ્પિટલમાં શહેરાના નરસાણા ગામના ૫૦ વર્ષીય કાળુભાઈ સ્વરૂપભાઈ પરમાર સારવાર માટે દાખલ થયા હતા જેઓ વોર્ડમાંથી ચાલવા જવાનું જણાવી નીકળ્યા બાદ પરત ફર્યાં નહતા .

જે અંગે તેઓના સ્વજનો ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપી હતી . આધેડે બીમારીથી કંટાળી આ પગલું ભર્યુ હોવાની શકયતાઓ નકારી શકાય એમ નથી . સારવાર માટે આવેલા આધેડનો અંદાજીત પચ્ચીસ દિવસ બાદ મૃતદેહ મળી આવતાં સ્વજનોમાં શોક છવાયો હતો.


 તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.